SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કંટકૂટ નામના વડલાને વિષે તેણે વિશ્રામો લીધો.તે અવસરે ત્યાં વસનારા એક કાગડાએ સ્વાગતપૂર્વક તેને પ્રશ્ન કર્યો કે તું કયાં જાય છે ? ત્યારે હંસે કહ્યું કે સરોવરનું પાણી ડોલાઈ જવાથી મનુષ્યલોક છોડીને સ્વચ્છ પાણીવાળા માાનસ સરોવર પ્રત્યે જાઉ છું. તેથી કાગડોકહેવા લાગ્યો કે આ વડના જોડમાં માનસ સરોવરની સાક્ષાત્ પુત્રી જેવી પ્રફુલ્લિત કમલોવાળી, તથા નિર્મલ નીરવાળી વાવ છે, તેમાં ક્રીડા કરતો તથા મારા સાથે વાર્તાલાપ કરતો આવડ ઉપર રહી મારા સાથે ગોષ્ઠી કરતો તું શાન્તિથી ચોમાસું પસાર કર. ત્યારબાદ માનસરોવર પ્રત્યે જજે. હંસ પણ તેનું કહ્યું માની વર્ષા ઋતુ ત્યાં રહ્યો ને ચોમાસુ પૂર્ણ થયે હંસલીને લઇને ચાલવા માંડયો, ત્યારે કાગડાએતેને કહ્યું કે હે હંસ ! તારે જવું હોય તો જા, પણ મારી આ સ્ત્રીને લઇને તું કયાં જાય છે ? તે સાંભળીહંસ બોલ્યો કે આ તો મારી સ્ત્રી હંસલી છે પાડાનાશીંગડાના જેવા વર્ણથી બનેલા તારા આવા દેદારવાળાની આ હંસલી સ્ત્રી શાની હોય ? તે સાંભળીક્રોધ કરીને કાગડો કહેવા લાગ્યો કે હે હંસ ! તને મેં રહેવાને માટે સ્થાન આપ્યું, મેં તારા ઉપરઉપકાર કર્યો તેનો બદલો તું મારી સ્ત્રી લઇ જઇને વાળવાને ચાહે છે, તે શું તને વ્યાજબી છે ? શું શ્યામ પતિઓની સ્ત્રી ધોળી નથીહોતી ? તે કારણ માટે મારી સ્ત્રીને મૂકીને સુખેથી જા. આવી રીતે બન્ને વિવાદ કરે છે. ને ક્હયું કે આ નજીકના ગામડાના લોકો જે કહે તે સત્યથશે.આવી રીતેબન્ને પ્રમાણ કર્યું ત્યારબાદ કાગડાએ ગામમાં જઇ કપટથીતમામ ગામડાના લોકને ભેગાકરીકહ્યું જુઓ હંસી મારે પડાવી લેવી છે માટે જો તમે મારી સ્ત્રી કહી મને નહિ અપાવો, તો તમારાછોકરાઓની તથા તમારા Jain Education International ૨૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy