SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કર, તે અવસરે પળી યુક્ત પોતાનું શરીર તપાસીને તે જ અવસરે કામભોગ થકી વિરકત થયેલો એવો તે સારંગ શ્રેષ્ઠિ બોધ પામીને તથા પોતે આણેલા હસ્તિના સમૂહને વનને વિષે મૂકીને સદગરૂ પાસે દીક્ષા લઇને તપને તપીને તે મોક્ષેગયો. (અહિંસાનું સ્વરૂપ છે. સ્વઆત્મા હણાય તે હિંસા અને સ્વઆત્મા ન હણાય તે અહિંસા કહેવાય તે અહિંસા ત્રણ પ્રકારે છે. ૧ હેતુ અહિંસા- જીવોની યતના કરવી તે એટલે પ્રાણિયોનું રક્ષણ કરવું તે ૨ સ્વરૂપ અહિંસા પ્રાણિયોના પ્રાણો વિયોગન કરવો એટલે જીવોનો ઘાત ન કરવો તે ૩. અનુબંધ અહિંસા-સ્વર્ગ અને અપવર્ગ આદિલરૂપજે અહિંસા પરિણમે છે, તેમાં જે હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા છેતે પુણ્યફળ આપે છે.અનુબંધ વિના એટલે હેતુ તથા સ્વરૂપ આ હેતુથી પુન્ય બંધાય તેદેવતા પ્રમુખનો ભવ પામે પણ આગળ સંલગ્નપણે પુણ્ય પરંપરા ન ચાલે માટે પાપાનુંબંધી પુણ્ય બંધાય સાધુઓને વીશ વસા અને શ્રાવકોને સવા વસો દયા હોવાથી બન્નેમાં મેરૂ સરસવ જેટલું અંતર છે. સ્થળ અને સૂક્ષ્મ એવા બે પ્રકારના જીવો છે. તેમાં સાધુને બન્ને પ્રકારના જીવોનો સર્વથા પ્રકારે ઘાત કરવાનો નિયમ હોવાથી વીશ વસાદયા હોય છે. શ્રાવકને પોતાનો નિર્વાહ નહિ કરી શકવાથી ક્ષેત્રાદિકને કરે છે. તેમાં સ્થૂળ જીવોનો પણવધ થાય છે અને બેઇંદ્રિયાદિકનો પણ વધ થાય છે. એટલે સ્કૂલનો નિયમ હોયપણ સુક્ષ્મ જીવોનાવધનો નિયમ નથી, માટે દશ વસા ગયા, દસ રહ્યા. હવે તેમાં પણ સંકલ્પ થકી ધૂલ જીવને હણવાનો નિયમ છે, ૨૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy