SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હે વિદ્યાધર ! તું મને એક વાર રાજાની રાણી બતાવ અને પછી મને મારી નાખ. તેવું કહેવાથી ઔષધીથીતેને સજજ કરીને છોડી દીધો ત્યારબાદ ફરીથી તે રાજાની રાણીને જોવાના મોહથીરાજદરબારે ગયો, અનેરાણીને દેખી પાછળ દોડવાલાગ્યો તેવામાં રાજાના પુરૂષોએ બાંધીરાજાના આદેશથી વડની શાખાને વિષે પાશથી બાંધ્યો તેથી તે મૂચ્છ પામી ગયો. રાજાના માણસોને મરણ પામેલો જાણી તેને પાશથી મુક્ત કરવાથી પડયો, પાશમાંથી છુટવાથી અને શીતળ વાયુ આવવાથી ચેતના આવી તેથી ઉઠીનેઆમતેમ ફરવા માંડયો હવે એકદા પ્રસ્તાવેત્યાં કેવલજ્ઞાની મહારાજ પધાર્યા અનેરાજાદિક તેને વંદન કરવા માટે ગયાલોલાક્ષ પણત્યાં આવ્યા, અને ઉભો ઉભોરાણીને દેખતો હતો તેવામાં રાજાએ તેને કાઢયો હવે તે માર્ગને વિષે ચાલવા માંડ્યો. ત્યાં રસ્તાને વિષે કોઈક સૌભાગ્યવતી સ્ત્રી આવતી હતી તેને પ્રત્યે નેત્રવિકાર કરવાથી તેના સ્વામીએ તેને મારવાથી નરકે ગયો, અને ભવિષ્યમાં પણ તે અનંત સંસાર ભટકશે. ત્યાં કેવલી મહારાજાએ પણ ચક્ષુરિંદ્રિયના વિષય ઉપર ઉપદેશ કરવાથીરાજા આદિ ઘણા ભવ્ય જીવોએવૈરાગ્ય વાસનાથી સંસારને ત્યાગ કરીને દીક્ષા લીધી, અને સદગતિ મેળવી. શ્રોતેન્દ્રિય વિષયે ભુવનચંદ્ર રાજાના પુત્રરામનીક્યા | બ્રહ્મસ્થળને વિષેભુવનચંદ્રરાજા હતો. તેને પુરૂષોની બોત્તેર કળાને જાણનાર અને અત્યંત ગીતપ્રિયરામ નામનો પુત્ર હતો. અન્યદારામને યુવરાજપદવી આપવાની ઇચ્છાથી રાજાએ મંત્રીને જણાવવાથી મંત્રીએ કહ્યું કે હેરાજન ! રામ ગીતને વિષે આસકત છે તે તેની અંદર મહાન દોષ છે જે માટે કહ્યું છે કે - ૨૧૦ ૨૧0 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy