SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ जइ अग्गीए लवो वि हु,पसरंतो दइद गामनराई । इक्विक्कमिंदियंपि हु, तइ पसरंत समग्गगुणे ॥१॥ ભાવાર્થ : જેમ અગ્નિનો કણિયો એક નાનો લવલેશ માત્ર હોય છે છતાં તે પ્રચારને પામીને ગામ નગરાદિકને બાળીને ભસ્મીભૂત કરે છે, માટે હાલમાં જ જે જન્મેલ છે તે તેના નાના ભાઈને યુવરાજ પદ આપો.આવીરીતે મંત્રીએ કહ્યા છતાં પણ રાજાએ રામને યુવરાજપદ આપ્યું અનુક્રમે રાજા મરણ પામ્યા બાદ રામ રાજા થયો અને તેનો નાનો ભાઈ યુવરાજ થયો.હવે રામરાજા નિરંતર ગીતગાન સાંભળે છે, પોતે પણ ગાયછે તેમજ ડુબાદિકને પણગાતાં શિખવે છે આવી રીતે નિરંતર ગીતગાનને વિષે રક્ત થયો, અને મર્યાદાનો ત્યાગકરીને ડું બોના સાથે અનાચારમાં પ્રવર્તમાન થયો. તેને આનાચારી જાણીને મંત્રીઓએ વિચાર કરી રાજાને કાઢી મુક્યો, અને તેના ભાઈ મહાબલને રાજયગાદી ઉપર સ્થાપન કર્યા રામ પણવિદેશને વિષે પરિભ્રમણ કરતો મરીને હરણ થયો ત્યાં પણ ગીતગાન સાંભળવામાં આસક્તિથવાથી શિકારીએ મારવાથી તેજ બ્રહ્મસ્થલને વિષે મહાબળ રાજાના પુરોહિતને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. અને મોટા થવાથી ત્યાં પણગીતને વિષે આસકત થયો. શ્રવણેદ્રિયને કોઈપણ પ્રકારે વશ કરી શક્યો નહિ. અન્યદા પ્રસ્તાવ મહાબલ રાજાના પાસે ડુંબો ગાય છે. ત્યાં પુરોહિતનો પુત્ર હતો તેને રાજાએ કહ્યું કે હું નિદ્રા કરૂ ત્યારે તારે ગીતગાનનું નિવારણ કરવું, પરંતુ તેને ગીતગાનમાં વિશેષ આસક્તિ હોવાથી ગીતગાનનું નિવારણ નહિ કરવાથી પાછલી રાત્રિએ જાગૃત થયેલરાજાને ગીતગાન કરતા દેખીને બહુ જ રોષ ચડયો, તેથી પુરોહિતના પુત્રના કાનને વિષે બેલતેલ ઉકાળીને નાખવાથી ૨૧૧ ભાગ-૧ ફર્મા-૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy