SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બિંદુસારપાડયુંઅનુક્રમે ચંદ્રગુપ્ત સ્વર્ગે ગયાપછી બિંદુસારરાજા થયો. તે વખતે ચાણકયના વૈરી મંત્રીએ બિંદુસારને ચાણકયે તેની માતાના ઉદરનું વિદારણકરવાનું તમામ સ્વરૂપ કહ્યું. તેથી પ્રાત:કાળને વિષે જ્યારેચાણાકયરાજા પાસે આવ્યો. ત્યારેરૂષ્ટમાન થયેલો રાજા તેનાથી અવળું મુખકરીને બેઠો તેથી રાજાના અભિપ્રાયને જાણીને ચાણકય ઘરે આવ્યો અને પોતાની લક્ષ્મીનો સાત ક્ષેત્રને વિષે વ્યયકરીને અણશણ કરી બારમે દેવલોકે ઉત્પન્ન થયો. હવે રાજાએ તે ચાણકયનું ઘર સુબંધુને આપ્યું, તેથી સુબંધુ મંત્રીએ તેના ઘરમાંથી એક પેટી કાઢીતેને વિષેસુગંધથી ચૂર્ણનો એકડાબડો ભરેલો હતો તે ચાણકયે ભરીને મૂકયો હતો. તે ડાબડાને વિષે રહેલ દ્રવ્યની બહુજ સુગંધ આવવાથી સુબંધુ મંત્રીએ તેને સુંધ્યો ત્યાર પછી તેમાંથી એક કાગળ નીકળ્યો. તેમાં એવી રીતે લખેલું હતું કે જે આ ગંધોને સુંધીને સ્ત્રીનું સેવન કરશે, તથા સારા લુગડા પહેરશે. તથા સારૂ પાણી પીશે તે નિશ્ચય મરશે પરંતુ જે મુનિને પેઠે રહેશે તે જીવશે એવું વાંચી ભયને પામેલો સુબંધું મંત્રી મુનિને પેઠેરહ્યો, એક ઈહલોકના મહાનુ કષ્ટને પામી પહલી નરકે ગયો. માટે ઉત્તમ માણસોએગંધ દ્રવ્યને વિષે લોલુપી નહિ થતા ધ્રાણેદ્રિયને વશ કરવી. ધ્રાણેદ્રિય લોલુપતા વિષે નરસિંહ રાજાના પુત્રની ક્યારે વસંતપુરનગરને વિષે સિંહ નામનો રાજા રાજય કરતો હતો.તેનો મોટો પુત્ર સર્વગુણ યુક્ત અને રાજયગાદી લાયક હતો, પરંતુ સુંગંધી દ્રવ્ય સુંઘવાનો અત્યંત પ્રેમી હોવાથી પ્રાણેદ્રિયના વસંથી સુંગધી અગર દુર્ગધી કોઈ પણ વસ્તુ દેખવાથી એકવાર સુંઘે ત્યારે જ તેના મનને શાન્તિ થાય.આવી રીતનું સદાને માટેતેને વર્તન હતું. M૨૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy