SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મીઠી અપૂર્વ રસવતી કરાવી કરાવીને ખાવા માંડયો, અને અત્યંત આસક્તિથી જિહવેંદ્રિયના સ્વાદને વિષે લો લુપી થઈ વ્યવસાયાદિકનેકરતો નથી અન્યદાતે ચિંતવવા લાગ્યો કે મેં સર્વ રસોનું ભોજન કર્યું, પરંતુ મારા કુળમાં અયોગ્ય વસ્તુ ગણવાથી મેં માંસ મદિરાદિ આદિનું ખાનપાન કરેલું નથી, માટે જેમ થવાનું હોય તેમ થાઓ પરંતુ આજથી માંસ મદિરાનું પણ ખાનપાન કરવું તેજ યુક્તિયુક્ત છે. ત્યારબાદ તે માંસ મદિરાનું ખાનપાન કરવા લાગ્યો અને પિત્રાદિકે વાર્યા છતાં પણ માંસમદિરાના ખાનપાનથી વિરામ પામ્યો નહિ. અન્યદા તે દેશાંતરેગયો. અને ત્યાં પણ રસેંદ્રિયના પરવશપણાથી માંસભક્ષણમાં ગાઢ આસકત થયો. તથા ગુપ્તપણે લોકોના બાળકોને મારવા માંડયો આવી રીતનું વર્તન કરવાથી એકદિવસ લોકોએ તેને દેખવાથી તેને બાંધીને શૂળી ઉપરચડાવ્યો તેથી મૃત્યુપામી નરકને વિષે ઉત્પન્ન થયો ત્યાંથી નીકળી દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરશે રસનેંદ્રિયના લોલુપણાના વિરૂપ ફલોને જાણીને અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરી ભક્ષ્ય પદાર્થોને વિષે પણ ત્યાગ ભાવના રાખવાથી આત્મકલ્યાણ થઈ શકે છે. ધ્રાણેન્દ્રિય વિષયે સુબંધું ક્યાબO પાટલીપુર નગરને વિષે મોર્યવંશનો ચંદ્રગુપ્તરાજા રાજયકરતો હતો, તેને ચાર બુદ્ધિનો નિધાનમહાચતુર ચાણક્ય નામનો મંત્રી હતો. તેણે રાજાના ભવિષ્યનાહિતને માટે ભોજનમાં થોડું થોડું વિષ ખવરાવવા માંડ્યું. અને ધીમે ધીમે વિષભક્ષણનોરાજાને અભ્યાસ પાડયો અન્યદા પટરાણી સાથે ભોજનકરવાથી વિશ્વના પ્રયોગથી મરણ પામી, તેથી બુદ્ધિમાનચાણાકય મંત્રીએતત્કાલ તે ગર્ભવતીરાણીનું ઉદર વિદારી નાખી ગર્ભને બહાર કાઢયો અને તે પુત્રનું નામ (૨૦૭) ૨૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy