SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી બાંધેલા કર્મ કોઈપણ કાળે ભોગવ્યા વિના છૂટકો થતો નથી.આગમને વિષે કહ્યું છે કે – जं वीरजिणस्स जीवो, मरइ उस्सुत्तलेसदेसणउ । सागरकोडाकोडिं, हिंडइ अइ भीम भवगहणे ॥१॥ ભાવાર્થ : ઉસૂત્ર પ્રરૂપણાના લેશમાત્ર કથનથી અર્થાત્ “હે કપિલા ! ઈહાં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. અર્થાત્ સાધુ દર્શનના વિષે પણ ધર્મ છે તેમજ મહારાત્રિદંડી વેષને વિષે પણ ધર્મ છે.' આવા વચન માત્રના કથનથી એક કોડાકોડી સાગરોપમ સુધી જિનેશ્વર મહારાજા શ્રી મહાવીર મહારાજનો જીવ ભયંકર સંસારને વિષેભટકયો તે સર્વ ઉસૂત્રનો જ પ્રતાપ છે. એથી સંસારના પાર ન પામવા ઇચ્છાવાળા ભાવિક જીવોએઉજૂની પ્રરૂપણાને દૂરકરવી તેજ શ્રેયસ્કર છે. OTઇંદ્રિય નિગ્રહ પરવિજય કુમારની કથા.O કુણાલા નગરીને વિષે આહવલ્લો રાજા તેની કમલશ્રી રાણી અને વિજય નામનો પુત્ર હતો. તેનું બાલ્યાવસ્થાને વિષે અમિત તેજસ નામના વિદ્યાધરે હરણ કરીને વૈતાઢય પર્વતને વિષે આણ્યો, અને સુરમ્યા નામની નગરીમાં લઇ જઇને પુત્રપણે તેનું પાલન કર્યું. અન્યદા જયારે યુવાવસ્થા પામ્યો ત્યારે અત્યંત રૂપવાળો હોવાથી અમિત તેજસની સ્ત્રી રત્નાવલીએતેની ભોગને માટે પ્રાર્થના કરી. કુમારે કહ્યું કે “હે માતા ! આ તું શું બોલે છે ? તેણીએ કહ્યું કેહું તારી મા નથી. તેને કુણાલાથી મારા સ્વામીએ હરણ કરીને અહીં લાવી પુત્રપણે સ્થાપન કરેલ છે. તે કારણ માટે હે સુભગ ! મારા મનોરથને પૂર્ણ કર. હું તને વિદ્યા આપીશ તેની તે વિદ્યાના બલથી ૨૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy