SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને મારી મારા સાથે રાજ્ય લક્ષ્મીને ભોગવ ત્યાર બાદ કુમારે ચિંતવન કર્યું કે હા હા ધિક્કાર થાઓ ! એટલો કાળ મને પુત્રના પેઠે પાળીને હવે મને આવી રીતે કહે છે. માટે સ્ત્રીના સ્વભાવને ધિક્કાર થાઓ ! તથાપિ વિદ્યાને ગ્રહણ કરી લઉં. ત્યારબાદ તેણીએ આપેલી વિદ્યાને કુમારેલીધી ત્યારબાદ વિજયકુમારે કહ્યું કે હે જમની ! હવે તું મારા ગુરૂ તરીકે થઇ, તેથી હું તને નમસ્કાર કરું છું. એવી રીતે કહેવાથી પણ તે વિષય થકી વિરકત થતી નથી. અને ઉલટી કહેવા લાગી કે તું મારું વચન માન્યકર,અન્યથાતને મહાન અનર્થની અંદર નાખી દઇશ.એમ કહી પોતાને સ્થાને ગઇ. ત્યારબાદ દુર્જય એવી પણ ઇંદ્રિયને જીતનાર વિજયતેનું વચન નહિ માને, મારે અહીં રહેવું યોગ્ય નથી એમ ચીંતવી, વિદ્યાના બળથી ખડગનું સહાયપણું મેળવી કુણાલા નગરીમાં આવીને માતાપિતાને મલ્યો તેમને પણઓળખી લીધો. અન્યદા અયોધ્યા નગરીના સ્વામિ વિજયવર્મ રાજાની સેવાને માટે જતો પોતાના પિતાને નિવારીને ત્યાં વિજયકુમાર પોતે ગયો. તેને વિજયવર્મરાજા સાથેગાઢપ્રીતિ થઈ તેથી વિજય વર્મ રાજાએ કુમારને પોતાની પુત્રી શીલવતીઆપીને પરણાવવા વિવાહ મહોત્વનો આરંભ કર્યો, ત્યારબાદ વનને વિષે કીડા કરતી શીલવતીને કોઈક વિદ્યાધરે કુમારનું રૂપ ધારણકરીને તેનું હરણ કર્યું હાહારવ થયો. રાજા પણખેદ પામીને ચિંતવના કરવા લાગ્યો કે અહોહવે શું કરવું ! એટલામાં વિજયકુમારે આવીને કહ્યું કે રાજન ! ચિંતા ન કરો. જો હું શીલવતીને ન લાવું, તો યાવસજીવ સુધી શીયલનું સંયમનું જ પ્રતિપાલન કરીશ એમ કહીને જલ્દીથીગગનમાર્ગે,તે વિદ્યાઘરની પાછળ ચાલતો શત્રુંજય પર્વત ગયો. ત્યાં તેણે કન્યા યુક્ત તે વિદ્યાધરને દેખ્યો.ત્યાં બન્નેનું યુદ્ધ ૨૮૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy