SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્ર ! અજમાર્ગે જઈએ તો સારૂ પરંતુ સુકોશલ સાહસને અવલંબી તે જ માર્ગે ગયો અને અણશણ કર્યું. વાઘણે તેને વિદારી નાંખવાથી ઉંચ ભાવનાથી કેવળજ્ઞાન પામી મુક્ત ગયા. વાઘણે પોતાના પુત્રની દાંતની પંક્તિ દેખી, ઊહાપોહ કરવાથી જાતિસ્મરણ મેળવ્યું. પોતે પોતાના જ પુત્રનું મરણ કરેલું જાણી આત્માને નીંદતી,પશ્ચાતાપ કરતી અણશણ કરી આઠમે દેવલોકે ગઈ. પાછળથી કીર્તિવર પણ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ( ઉજૂથ પ્રરૂપણાથી થતું નુકશાનOO उस्सूत्त भासगाणं, बोही नासइ अणंत संसारो / पाणपच्चए वि धीरा, उस्सुतं न भासंति // 1 // ભાવાર્થ : ઉસૂત્રની પ્રરૂપણા કરનારા માણસોનું બોધિબીજ નાશ પામે છે, અર્થાત્ તેવા માણસો દુર્લભ બોધિપણાની છાપને મેળવે છે, તથા અનંત સંસારને ઉપાર્જન કરે છે તે કારણ માટે ધીરવીર પુરૂષો પ્રાણ ત્યાગે પણ ઉત્સુત્રના ભાષણને કરતા નથી, કારણકે ઉજૂરાની પ્રરૂપણા કરનારાઓને શાસ્ત્રકાર મહારાજાએ શાસનના પ્રત્યેનીકો કહેલા છે, સ્થાનાંગસૂત્રોમાં કહ્યું છે કે - सुतं पडुच्च तदुभयपडिणीया पन्नता तं जहा / सुत्तपडिणीए 1, अत्थपडिणिए 2, तदुभयपडिणिए // 3 // ભાવાર્થ : સૂત્ર, અર્થ તથા તદુભય પ્રત્યેનીકો કહેલા છે. તે આ પ્રકારે છે સૂત્ર પ્રત્યેનીક 1, અર્થ પ્રત્યેનીક 2, તદુભય પ્રત્યેનીક 3, આવા સુત્ર અર્થ અને તદુભયના પ્રત્યેનીકોઉસૂત્ર પ્રરૂપક થઈ પોતે બુડે છે અને બીજાને બુડાડવા સમર્થમાન થાય છે પ્રષ્ટિશતકમાં કહેલું છે કે 199 19 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy