SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એ પ્રકારનો ઉપદેશ શ્રવણ કરવાથી કીર્તિવર રાજાએ બાળક એવા પુત્રને પણ રાજય આપી. પોતે દીક્ષા લીધી, અને શાસ્ત્રો ભણી પડિમાનું વહન કરતા કીર્તિધર મુનિ વિહાર કરવા લાગ્યા. ત્યારબાદ માતાએ પુત્ર ઉપર મોહ કરી, તેની દાંતની પંક્તિમાં સોનું જડાવી દાંતને સુવર્ણમય બનાવ્યા ત્યારબાદ સુકોશળ જેમ જેમ વૃદ્ધિ પામતો જાયછે, ને પોતાના પિતાના ગુણોનું સ્મરણ કરતો જાય છે, તેમ તેની માતા તેના પિતાના દુષણો પ્રગટ કરે છે. એકદા કીર્તિધર મુનિ અયોધ્યા નગરીમાં છઠને પારણે ભિક્ષા માટે આવ્યા તેને દેખી સહદેવી વિચાર કરે છે કે –જો આ મારો પુત્ર તેના પિતાને દેખશે તો તે નિશ્ચય દીક્ષા લેશે, માટે આ મુનિને હું નગર બહારકાટું” એવો વિચાર કરી, સુકોશલને જણાવ્યા વિના જ પોતાના માણસો પાસે પરાભવ કરાવી કીર્તિઘર મુનિને નગર બહાર કાઢયા તે કીર્તિધર મુનિને નગર બહાર કાઢતા દેખી, ધાવમાતાએ તે વાત સુકોશલને કરી તેથી સુકોશલ તુરત નગર બહાર જઇ, તે મુનિને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે “હે સ્વામિન્ ! તમે નગર મધ્યે પધારો” કીર્તિધર મુનિ કહે છે કે હે વત્સ ! હાલમાં ઉપસર્ગનો સંભવ છે, માટે હું નગરમાં નહિ આવી શકું, ત્યારબાદ સુકોશલે પોતાની માતાએ જ પોતાના પિતાનો પરાભવ કરાવ્યો છે, એવું જાણીને રાજયને તૃણની પેઠે ત્યાગ કરી પિતાની પાસે જલ્દી થી દીક્ષા અંગીકાર કરી ત્યારબાદ તેણે પણ પોતાના પિતા જોડે વિહાર કર્યો અને બન્ને જણા તીવ્રતપ તપવા લાગ્યા ત્યારબાદ સ્વામી અને પુત્ર એમ બન્નેના વિયોગથી આર્તધ્યાનથી મરીને સહદેવી વન મધ્યે વાઘણ થઈ તે બન્ને મુનિ વિહાર કરતા કરતા તે વાઘણ રહે છે તે વનમાં આવ્યા ત્યારબાદ વાઘણને સન્મુખ આવતી દેખીને કીર્તિધર મુનિ પુત્રને કહે છે કે “હે ૧૯૮ ૧૯૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy