SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અમે ખાઈએ છીએ.એવું બોલતાયોગીને પાણિના પ્રયોગથી લાડુની અંદર વિષ બતાવીને ભીમે, યષ્ટિ-મુષ્ટિ વડે કરી ગાઢ હણીને ધામ થકી બહાર કાઢયો અને પોતાના ભાઈને મરણ થકી બચાવ્યો. ત્યારબાદ ભીમ વિશેષ કરી જ્ઞાનાભ્યાસમાં તત્પર થયો. શાસ્ત્રશ્રવણ ઉપર કીર્તિધર તથા સુકોશલની ક્યા અગાઉ અયોધ્યા નગરીને વિષે ઇક્ષ્વાકુ વંશમાં કીર્તિઘર નામનો રાજા હતો તે ન્યાય વડે કરીને રાજ્યનું પ્રતિપાલન કરે છે તેને સહદેવી નામની રાણીહતી તેમજ સુકોશલ નામનો પુત્ર હતો.તેમણે અનુક્રમે ધર્મ શાસ્ત્રનું પઠન કર્યું.અન્યદા પ્રસ્તાવે ત્યાં શ્રી ધર્મસૂરિ મહારાજા આવ્યા,તેથીરાજા તેનો ધર્મોપદેશ સાંભળવા માટેગયો,અને ગુરૂએ પણ નીચે પ્રમાણે ઉપદેશ આપ્યો. आर्यदेशकुलरुपबलायु, र्बुद्विबंधुरमवाप्य नरत्वं । धर्मकर्म न करोति जडो य : पोतमुज्झति पयोधिमत : स. : ॥ १ ॥ जाव जरा न पीडेइ, वाही जाव न वढ्ढइ । जाविंदिय न हायंति, ताव धम्मं सामाचरे IIRII ભાવાર્થ : આર્યદેશ, સારૂં કુલ, સારૂં રૂપ, ઉત્તમ બલ, દીર્ઘ આયુષ્ય મનોહર બુદ્ધિ વેગેરની પ્રાપ્તિ સહિત મનુષ્ય જન્મને પામીને જડ માણસધર્મ કરતો નથી.તે સમદ્ર મધ્યે જઇને વાહણનો ત્યાગ કરે છે. (૧) જયાં સુધી વૃદ્ધાવસ્થા પીડા ન કરે, જ્યાં સુધી વ્યાધિઓ પીડા ન કરે તથા જ્યાં સુધી ઇંદ્રિયો હણાઇ ન જાય ત્યાં સુધીમાં ધર્મ કર્મનું સેવન કરી લેવું સારૂ છે. (૨) Jain Education International ૧૯૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy