SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભગવંત કોઈ ભણ્યા નથી લાગતા માટે એમને ચોમાસું નથી રાખવા એમ વિચાર કરી બધા ઉઠી ગયા અને આચાર્ય ભગવંત બીજા દિવસે વિહાર કરી સવગંજ ગયા. ત્યાં બીજા સાધુઓ ભેગા થયાં એમને પોશાળીયાની વાત કહી. તેથી બીજા સાધુ પોશાળીયા ગયા. ગામવાળાએ સામૈયુ કરી ગામમાં લાવ્યા વંદન કરી ખુમાશાએ તેજ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ઘણાં સાધુઓ આવી ગયા પરંતુ કોઈએ સાચો જવાબ ન આપ્યો જો આપ આપો તો ખરા સાધુ કહેવાઓ ત્યારે સાધુ બોલ્યા કે તમો થોડીવાર બેસો હું વિચાર કરીને તમને જવાબ આપું એમ કહી સાધુ રૂમમાં ગયા ત્યાં દરવાજો બંધ કરી સૂકા આંબાના પાંદડા ખખડાવવા લાગ્યા. ત્યારે બહાર બેઠેલા ખુમાશા વિચાર કરે છે કે આ સાધુ કેટલા વિદ્વાન છે કેટલા બધા શાસ્ત્રના પાનાં ઉછળાવે છે. એટલામાં સાધુ ભગવતી સૂરાના મોટા પાના હાથમાં લઈ બહાર આવ્યા. બે ત્રણ કલાક સુધી તો પાના જોતા જ રહ્યા પછી છેલ્લા પાને નામ જડયું ત્યારે ખુમાશા બોલ્યા કે ખરેખર આપ હોંશીયાર છો આટલા સાધુ આવ્યા પરંતુ આટલા બધા હોંશીયાર કોઈ નથી જોયા. ત્યારે સાધુ બોલ્યા ઘણી જ મહેનતે આ નામ જડ્યું નામ છે હડમતવીર ! એટલે વીરનાં વીર ખુમાસા ખુશ થઈ ગયા. અને એમને ચોમાસાની વિનંતી કરી ! હવે એક વખત સાધુ ભગવંતે કહ્યું કે પ્રતિક્રમણ બીજું કાંઈ કરો છો કે નહિ ત્યારે ખુમાશા બોલ્યા અમને કાંઈ આવડતું નથી. આપ કહેશો અને કરશો તેમ કરશું એમ કહી સંઘ સાથે ખુમાશા પ્રતિક્રમણ કરવા આવ્યા. સામાયિક લીધા પછી સાધુ બોલ્યા હવે પચ્ચકખાણ લો. ત્યારે ખુમાશા બોલ્યા કે અમો પચ્ચકખાણને કાંઈ જાણતા નથી. ત્યારે સાધુએ સમજાવ્યું કે સવારે સૂર્ય ઉગ્યા પછી પાણી ૧૮૯ ૧૮૯ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy