SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગાળી પ્રાતઃકાળે પોતાના સુભટો દ્વારા મંત્રીના ઘરની તપાસ કરાવી પોતાની બહેનને ભોંયરામાંથી કાઢી મંત્રીને પોતાના દેશની હદપારકર્યો. અને જ્ઞાની મુનિની બહુ જ પ્રશંસા કરી તથા તેમણે કહેલા ધર્મને રાજા આદિ ઘણા લોકોએ અંગીકાર કર્યો. ત્યારબાદ નગરના અનેકુટુંબનાલોકોને બોધ કરી યુવરાજર્ષિ ગુરૂ પાસે ગયા.અને પ્રમાદનો ત્યાગ કરી સિદ્ધાંત ભણી, તપતપી સ્વર્ગે ગયા,માટે આળસ છોડી થોડું થોડું પણજ્ઞાન નિરંતર મેળવવાથી પરિણામે બહુ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે ઉદ્યમ કરવા મૂકવું નહિ એ પ્રકારે પ્રથમ અધિકારકહ્યો. OT અજ્ઞાન ઉપર મુખઓની ક્યા - ૧ ) રાજસ્થાન (મારવાડ)માં પોશાળીયા નામના ગામમાં એક ખુમાશા નામનો પંચ મુખીયો) છે. એક વખત તે ગામમાં આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી પધાર્યા. જે તપાગચ્છનાં હતાં ગામની બહાર પાદરે પધાર્યા, ગામવાળાને ખબર પડતા ખુમાશા એ સમસ્ત ગામવાસીઓએ ભેગા મળી સામૈયુ કર્યું આચાર્ય ભગવંતે વ્યાખ્યાન આપ્યું પછી ખુમાશાએ ગામને ભેગાં કરી વાત કરી કે આપણે આચાર્ય ભગવંત ને ચાતુર્માસ કરાવવું છે પરન્તુ પ્રથમ એમની પરીક્ષા કરી પછી વિનંતી કરીએ. એમ વિચાર કરી બધા ભેગા થઈ આચાર્ય ભગવંત પાસે ગયા. અને વંદન કરી ખુમાશા એ પ્રશ્ન પુછ્યો કે ઘણાં સમયથી અમારા મનમાં શંકા છે કે ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનાં બાપનું નામ શું ? ત્યારે આચાર્ય ભગવંત બોલ્યા આ માં શું મોટી શંકા છે ? આ તો બધા જાણે છે કે પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી છે. આ વાત સાંભળી ખુમાશા એ વિચાર કર્યો કે આ વાત કાંઈ બરોબર બેસતી નથી આ આચાર્ય M૧૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy