SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પીવું એના પહેલા પાણી ન પીવું એમ સમજાવી ચોવિહારનું પચ્ચકખાણ આપ્યું હવે ત્રીજા આવશ્યકની મુહપત્તિ પછી સાધુને વાઈની તકલીફ હોવાથી ચક્કર આવી પડી ગયા અને મોઢામાંથી ફીણ નીકળવા માંડયા આ જોઈ બધા શ્રાવકો પણ મુહપત્તિ ચરવળો એક બાજુ મુકી પડી ગયા મહેનત ઘણી કરી પરંતુ ફીણ ન નીકળ્યા ત્યારે ખુમાશા બોલ્યા કે પ્રતિક્રમણની વિધિ બધી થઈ પરંતુ ફીણ ન નીકળ્યા તે અધૂરી રહી ગઈ અમોએ જીંદગીમાં પ્રથમવાર આવું પ્રતિક્રમણ કર્યું એમ કહી શ્રાવકો ઘેર ગયા. હવે એજ રાત્રીમાં એક શ્રાવકને જોરદાર તરસ લાગી તેથી તે શ્રાવકે પંચને ભેગા કર્યા અને પૂછયું કે મને તરસ લાગી છે પાણી પીવાય કે નહિ ત્યારે આગેવાન ખૂમાશા બોલ્યા કે સાધુએ પાણી પીવાની ના પાડી છે માટે પાણીનો ના પીવાય પરંતુ કરબો પીવાશે એમ કહી તે શ્રાવકે કરબો પીધો અને પાણીનો ઉપયોગ ન થવાથી ડાઢી મુંછે ચોટી ગયો. સવારે ઉઠી સાધુને વંદન કરવા ગયા. બધી વાત કરી ત્યારે સાધુએ વિચાર્યું કે આવાં મુર્માઓ (અજ્ઞાની)નાં ગામમાં રહેવા જેવું નહિ એમ વિચારી સવારે વિહાર કરી ગયા | એટલે કહેવાય છે મુર્ખાઓના સંગમાં ડાહ્યા માણસોએ રહેવું ન જોઈએ. જો રહેતો તે પણ મૂર્ખામાં ગણાય ! CT અજ્ઞાન ઉપર મૂર્ખાઓની ક્યા - ૨ DO મારવાડનાં એક ગામમાં કોઈ મુખ્ય માણસ ન હતો તેમાં એક માણસ કોઈ પણ સાધુ સંત આવે તો સામે જાય. બધું કામ કરે. વ્યાખ્યાનમાં જી-જી કરે એમ વિચારી ગામવાળાએ ભેગા થઈ તે માણસને મુખ્ય બનાવ્યો અને બધાશાસ્ત્રીજી નામ રાખ્યું અને એને પણ મોટા પણાનો થોડો પાવર આવી ગયો. ગામમાં બધાશાસ્ત્રીજી (૧૯૦ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy