SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુન્યશાલી જીવોને ઉપરા ઉપર સંપત્તિ ન મળવા ઉપર ચાર મિત્રોની સ્થા ધનારામ ગામે ઋષભદત્ત ઋષભદાસ જિનદત્ત અને જિનદાસ નામના ચાર શ્રાવકો ધનાઢયના પુત્રો સાથે જન્મ્યા સાથે વૃદ્ધિ પામ્યા, સાથેક્રીડા કરતા સામ દામ ભેદ અને દંડ એમરાજાના ચારઉપાયોની પેઠે પરસ્પર પ્રીતિને ધારણ કરતાં તેમને તેમના માતપિતાયે પરણાવ્યા એકદા તેઓ એકત્ર થઈ એકાંત ને વિષેવિચાર કરવા લાગ્યા કે પિતાની લક્ષ્મીનો આપણે ઉપભોગ કરીએ છીએ. તે યુક્ત નથી. શાસ્ત્રને વિષે કહ્યું છે કે પિતાની લક્ષ્મી બહેન, પર લક્ષ્મી પરસ્ત્રી, માટે પુરુષોને તે લક્ષ્મીનો ઉપભોગ કરવો યુક્ત નથી, માટે બીજા દેશમાં જઈ લક્ષ્મી ઉપાર્જન કરીએ તો સાર આવી રીતે કહી તે ચારે પોતે પોતાના સ્ત્રીઓને કહી માતાપિતાને કહ્યા વિના સુકૃતરૂપી માતાને લઇ શરીર ઉપર પહેરવા માત્ર વસ્ત્ર વડે કરીને જ ઘરથી નીકળી,પગે ચાલતાં દક્ષિણ દિશા તરફ ગયા, બે પ્રહરે ઘણી ભૂમિ ઉલ્લંઘન કરીને જનારા તેમને સૂર્ય ઉદયે એક મોટો સાર્થવાહનો સાથ મલ્યો. ત્યાં અશોક વૃક્ષની નીચે ક્રીડા કરતા તે ચાર ને દેખી સાર્થવાહની ચાર પુત્રીઓએ પિતાને કહ્યું કે હે પિતાજી ! આ જન્મમાં તો આ ચારે જ અમારા વરો છે, એવી રીતના આગ્રહથી અને રૂપાદિકને દેખી અત્યંત હર્ષ પામેલા તે સાર્થવાહે ચારે પુત્રીઓ તે ચારે જણને પૃથક પૃથક પરણાવી આ ચારે ધનાઢય છે એમ ભેદ જાણી સાર્થવાહે સર્વવિષ ૧. ભૂતાદિદોષ ર. અગ્નિભય, ૩. એને ચોરભયને હરણ કરનારી. ચાર વીંટીઓ કન્યાદાનમાં આપી. કેટલોક કાળ તેના સાથે સુખ ભોગવી તે સ્ત્રીઓને જણાવી તેઓએરજા આપવાથી પાછા ચારેજણા એમ જ ચાલ્યા, અને લાભપુરના ઉદ્યાનમાં જૈન મંદિરમાં શ્રી નેમનાથને નમસ્કાર કરીને આમ્ર વૃક્ષ નીચે બેઠેલા હતા તેવામાં હિમથી (૧૩૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy