SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુષ્પના ઢગલાથી પુરેલ નાના પ્રકારના ધ્વજ તોરણાદિકથી શણગારેલ મનોહર પોતાના પાટણ નગરે આવીને ફરીથી મળેલા અવતારના પેઠે રાજાએ મોટો મહોત્સવ કર્યો ત્યાર બાદ અરસપરસ મિત્રતા હોવાથી ભીમે ચિત્રકુટના અધિપતિ રણસિંહનેહાથી ઘોડાદિક સહિત વધામણી રૂપ લેખ મોકલી પોતાને સારૂ થયું છે તેવા સમાચાર મોકલાવ્યા લેખ વાંચી રાજાએ ગોવિંદ વૈદ્યને ઓળંભો આપ્યોકે રે ગોવિંદ રે વૈદ્યાધમ ! તે મારી પાસે એવું કહ્યું કે આનો રોગ નહિ જાય? અહો તારૂં વૈદ્યકમાં કુશળપણું તું અમારા આપેલા ધન અને પ્રામાદિકને ભોગવે છે અહો તારુંરાજ વૈદ્યપણું? કે તે ભીમનો રોગ પણ ન જાણ્યો તો તેનો પ્રતિકાર તો કેવા પ્રકારે ? વૈદ્ય બોલ્યો કે હે દેવ મને ફોગટ ઠપકો આપો છો હું તો અહિં છું અને રોગતો ત્યા શાન્તિ પામી ગયો નષ્ટ થયો તેથી અહિ રહીને પણ કાંઇકકૌતુક સંભળાવું તે સાંભળો નિશ્ચયતેનાં રોગની શાન્તિ શેલડીના ભક્ષણથી થઈ છે રાજાએ કહ્યું કે ત્યારે શું તે વખતે શેલડી ન હતી? વૈદ્ય કહ્યું કે જે શેલડીના મુળમાં સંર્પણીએ પ્રસવ કરેલ હોય તે શેલડીના રસથી તેનો રોગ જાય પરંતુ અસંભવિત ન બોલવું એ નીતિના વચનને જાણનારા મેં તેને ઔષધ ન બતાવ્યું કારણ કે ઔષધ આકાશકુસુમ અને ખરવિષાણના પેઠે દુર્લભ જાણવું તે ઔષધ કહેવા વડે કરીને વૈદ્યોને મહા લજ્જા ઉત્પન્ન થાય તો આપની આ બાબત કૌતુક લાગતું હોયતો તેની તપાસ કરો તે સાંભળી કરણસિંહ રાજાએ જે ગામમાં જે ખેતરમાં જે ક્યારામાં શેલડી વાવી હતી ત્યાં તપાસ કરવાથી ગોવિંદ વૈધે કહેલું તમામ સાચું પડ્યું સર્વ સમ્યક્ પ્રકારે જાણીને રાજાએ ગોવિંદ વૈદ્યની બહુમાન સાથે સારી પુજા કરી. -૧૭૧ ૧૭૧ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy