SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉત્પન્ન થયો ઘણા મંત્ર તંત્ર અને ઔષધના ઉપચારથી પણ તે રોગ ન ગયો. તે રોગથી તેના મુળમાં કીડા ઉત્પન્ન થવાથી તેની પીડાથી તેને રાત્રીએ સર્વથા નિદ્રા આવતી નથી તે રોગથી પરાભવ પામેલો તેરાજા કાલકુટવિષ કંઠપાશ, શસ્ત્રઘાત કુપતન, ઇત્યાદિ મરણના ઉપાયથી મરવાનો વિચાર કરવા લાગ્યો એકદા તેની રાજસભામાં લોકવાતો થઇ કે ચિત્રકુટ દુર્ગમાં કરસિંહરાજાનો પ્રસાદપાત્ર ગોવિંદ નામનો મહાવૈદ્ય છે તે આયુષ્ય સાધવા સિવાયના તમામ મહારોગો ને નષ્ટ કરે છે આવું સાંભળી બહુ માનથી ભીમ રાજાએ તેને બોલ્યાવ્યો તેથી સુખાસનને વિષે બેસી તે જલ્દી પાટણ આવ્યોતેણે પ્રાતકાળે તેવા પ્રકારના ભારે કર્મી રાજાને જોઇને ક્હયંકે હે રાજન આ મહારોગને ક્ષયનથી તેકારણથી તને કલ્યાણ હો હું મારા સ્થાન પ્રત્યે જાઉંછું એમ બોલી પોતાના નગરે આવી ભીમ રાજાનું તમામ સ્વરૂપસ્વામીને કહ્યું ભીમ રાજા પણ ઇંદ્રના વ્રજ વડેકરીને જેમ તેમ રોગથી પરાભવ પામીને સોનું રૂપુ હાથી ઘોડા ધન ધાન્યાદિકનું દાન કરીને સમગ્ર લોકોને સંતોષી ને સિદ્ધપુર નગરના કાંઠાને વિશે વહેનારી સરસ્વતી નદીના મહાતીર્થ માનીને મરવાની ઇચ્છાવાળા પોતાના નગરથી ત્યાં જવા નીકળ્યો અવિચ્છિન્નપણે આંસુની ધારાને વસાવનારી અંતપુરની રાણીઓ સાથે તથા પ્રધાનાદિ નગરમાં ઘણા લોકોના પરિવાર સાથે આગળ ચાલનારા રાજએ એક મોટો શેલડીનો વાંઢ રસ્તામાં દેખ્યો શેલડી ભક્ષણ કરવાની ઇચ્છા થતાંની સાથે જ મોટી એક શેલડીની ષ્ટિ (શેલડીનો સાઠો) લઇને જેવામાં એક તેનો ટુકડો ચુસે છે તેવામાં અમૃત પાનના પેઠે તેના રસનું આસ્વાદન કરવાથી રાજાનો રોગક્ષય થવા લાગ્યોકિંબહુના બહુ દિવસે રાજાને તે રાત્રિમાં સુખ પૂર્વક નિદ્રા આવી ગઇ,હવે પ્રાત-કાળેરાજા પોતાને સર્વથા રોગ રહિત જાણીને બહુસુવર્ણનુંદાન કરતો પાછો ફરી મહોત્સવ સહિત Jain Education International ૧૩૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy