SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છેદાવીને ચૌટાની વચ્ચે નાંખ્યો, તેથી વિક્રમ ઘણુ જ દુઃખ ભોગવવા લાગ્યો ત્યારબાદ ત્યાં રહેવાવાળો એક ઘાંચી ત્યાં આવ્યો. તેણે પોતાની ધાણી ચલાવવા માટે વિક્રમને લીધો અને પોતાને ઘેર આવી હસ્તપાદોના વ્રણો ઉપરતેલ લગાવીને તેને સારો કર્યો, અને ઘાણી ઉપર ઘાણી હાંકવા રાખ્યો, આવી રીતે તેણે ત્યા સાડા સાત વર્ષ વ્યતીત કર્યા , અને તેને શનૈશ્ચરની પીડા ગઇ. હવે એકદા પૂર્ણિમાની અર્ધ રાત્રિા ગયા પછી ઘાણી ઉપર રહીને મધુર સ્વરે રાગના આલાપ કરનાર વિક્રમના મનોહર શબ્દ સાંભલીને, તેના રાગથીમોહિત થઇને, તેના નજીકના ભાગના આવાસને વિષે રહેલીનૃસિંહ રાજાની ગુણમંજરી નામની પુત્રીએ પોતાની દાસી દ્વારા રાતે પંગુ વિક્રમને બોલાવ્યો, તે ત્યાં તેનું રક્ષણ કર્યું ત્યારબાદ દાસીના મુખ થકી પંગુને વરવાની પોતાની પુત્રીની ઇચ્છા જાણીને નૃસિંહ રાજાયે પણ તેનું પાણિગ્રહણ કરવા માટે તે પંગુને પ્રેરણા કરી. હવે કેટલામાં તે રાજકુમારીનું પાણિગ્રહણ કરવા તો વિક્રમ ઉજમાળ થાય છે. તેટલામાં અકસ્માત હાથ પગ નવા આવી ગયા,તેથી તે નૃસિંહ રાજાની પુત્રીનું પાણિ ગ્રહણ કરીને વિક્રમ રાજા ત્યાં રહ્યો એટલે શનૈશ્ચર ગ્રહ પણ વિક્રમ રાજાના પુન્યોદયથી પ્રત્યક્ષ થઈને તેને કહેવા લાગ્યો કે હે વિક્રમાર્ક ! નિશ્ચય તું પુન્યવાન અને સત્યવાન છે.મેં તને આટલી પીડા કરી પરંતુ તારા સત્ત્વથી લગાર માત્ર પણ તું ચલાયમાન ન થયો, તે માટે હું તારા ઉપર તુષ્ટમાન થયો છું, જેથી મારા પાસે તું વર માગ. તે સાંભળીને વિક્રમે શનૈશ્ચરને નમસ્કાર કરીને તથા તેની સ્તુતિકરીને કહ્યું કે હૈ શનૈશ્ચર ! તારેજગતના લોકોને પીડા ન કરવી તે સાંભળી શનૈશ્ચરે કહ્યું કે – યત : ग्रहा नानुग्रहा ज्ञेयास्ते च पीडाकरा : स्मृता : । મયં પ્રથિત રીગન્ ! કિંવિદ્યુક્ત સાદું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy