SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : ગ્રહોને અનુગ્રહ કરનારા જાણવા નહિ, કારણ કે તે પીડા કરનારા હોય છે હે રાજન ! તે નહિ આપવા લાયકની પ્રાર્થના કરી, માટે કાંઇયુક્ત હું તને આપું છું, તેથી જે તારી અને મારી આ વાર્તા કહેશે તેમજ સાંભળશે તેને હું પીડા નહિ કરૂં. આવો વર આપીને શનૈશ્વર પોતાને સ્થાનકે ગયો. ત્યારબાદ તે ધનશ્રેષ્ઠી વિક્રમને સિંહરાજાનો જમાઈ થયેલો દેખીને ભય પામીને સન્માનપૂર્વક તેને પોતાના ઘરને વિષે જમાડયો હવે ભોજન કર્યા બાદ વિક્રમ તે જ ચિત્રશાલાને વિષે શ્રેષ્ઠી સાથે વાર્તા કરવા બેઠો. વિક્રમ નિદ્રા કરીગયા પછી ભીંતમાં ચિત્રેલા તેજ મોરે ગળેલો હાર વમી કાઢીને તે સ્થાન ઉપર મૂકયો. તે સ્વરૂપ ધનશ્રેષ્ઠી જોઇને વિક્રમ રાજાને કહ્યું કે સ્વામિન્ આ શું ? રાજાએ પણપૂર્વ દેખેલુ વૃત્તાંત કહીને શનૈશ્વર ગ્રહનું બધું વિલસિતપણું કહી સંભળાવ્યું. અને ફરી પાછો ઉજ્જયિનીમાં આવીને રાજ્ય કરવા લાગ્યો, તેથી ઉત્તમ પુરૂષોના પુન્યના પ્રભાવે પીડા કરનારા ગ્રહો પણ પ્રસન્ન થઇને શાન્તિકરવાવાલા થાય છે. પુણ્યોદયે વસ્તુપાળ મંત્રીની ક્થા (૫) ધવલકક નગરે વીરધવલ રાજાનો વસ્તુપાળ નામનો મહામંત્રી હતો. એકદા પ્રસ્તાવે વસ્તુપાળ મસ્તકની છાયાવાળી પૃથ્વીને વિષે નિધિ પ્રગટ થાય છે. એવું વારંવાર દાનલેવાને માટે ચારણોએ બોલવા માંડયું આવા પ્રકારનું બિરૂદ કાનના કાચા એવા વીરધવલરાજાએ સાંભળ્યું તેથી રાજાએ મંત્રીને ક્લુયં કે હે મંત્રિ ! ઘી, તેલ,લૂણ, હીંગ વગેરેનો વ્યાપાર કરનાર એવા તારાજેવા વાણિયાને આ ખ્યાતિ યોગ્ય નથી, કારણ કે મસ્તકની છાયા નીચે નિધિ પ્રગટ થાય એમ આ માગણના ટોળા બોલે છે તેનુ તું નિવારણ કર.આવીરીતેરાજાએ કહેવાથી મંત્રીએ વાર્યા છતાં પણ તે લોકો આવીને આ ખ્યાતિ બોલ્યા વિના રહેતા Jain Education International ૧૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy