SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે મને અને અંબુચીચને દેખીને તું સદા સુખી થા. ઇતિ ભાગ્ય પરીક્ષા. (પુન્યથી વિક્રમને શનિશ્વરે આપેલા વરની ક્યા (૪))) ઉજજયની નગરીને વિષે વિક્રમની સભાને વિષે એકદા કોઇક નિમિત્તિઓએ આવીને કહ્યું કે-સર્વે ગ્રહોને વિષે શનૈશ્ચર મહાનપીડા કરનારો થાય છે, તે ગ્રહ હે રાજન્ ! તારી રાશીને વિષે આવશે.તે સાંભળીને સભાને વિસર્જન કરી રાજાએ મંત્રીને કહ્યું કે હે મંત્રિનું ! હાલમાં મારા રાજ્યનું તારે રક્ષણ કરવું હું કેટલાક કાળ વિદેશમાં જઇશ, કારણ કે મારી રાશીને વિષે દુષ્ટ શનૈશ્ચર ગ્રહ આવવાથી હું અહીંઆ નહીં રહી શકું એમ કહી રાત્રિને વિષે ચાલ્યો અને દૂર આવેલા એક નગરને વિષે જઇને ત્યાં ધન્ના શ્રેષ્ઠીનીદુકાન જઇને બેઠો તે જ દિવસે વિક્રમના પુન્યથી શ્રેષ્ઠીને એક હજાર સોના મહોરનો લાભ થયો તેથી ભોજન કરવાના સમયે શ્રેષ્ઠીએ ભોજનને માટે નિમંત્રણ કરવાથી વિક્રમ તેને ઘેર ભોજન કરી ચિત્ર વિચિત્ર તેની ચિત્રશાળાને વિષે શધ્યાને વિષેસૂતો ને શ્રેષ્ઠી પણ ત્યાં જ સૂતો. તે અવસરે રાજા જાગતો હતો, અને શ્રેષ્ઠીની પુત્રી ત્યાં આવી તેણીએ પોતાના કંઠથી મોતીનો હાર, ઉતારીને ભીંત ઉપર રહેલી ખીંટી ઉપર મૂક્યો અને ક્યાંય ચાલી ગઇ હવે શ્રેષ્ઠીને નિદ્રા આવવાથી નજીકમાં રહેલી ભીંતના ઉપર ચિત્રોલા મયુરે તે હાર ગળી લીધો. તેના સ્વરૂપને જોતો રાજા ચમત્કાર પામીને જોવામાં કાંઈક ચિંતવન કરે છે, તેવામાં તે શ્રેષ્ઠીની છોકરી પાછી આવી તે હારને નહિ જોવાથી પોતાના પિતાને પૂછે છે કે હાર-કયાં ગયો,તેથી શ્રેષ્ઠી હારને નહિ દેખવાથી, તે નગરના રાજા નૃસિંહના પાસે જઈને કહ્યું કે મારે ઘરે આવેલા પરોણાએ મારી પુત્રીનો મોતીનો હાર ચોરેલો છે, તેમકહીને વિક્રમને રાજાને સોંપ્યો, રાજાએ પણ વિક્રમના હાથ પગ ૧૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy