SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પગે પડયા અને પોતાનું રૂપ દેખાડયું અને કહ્યું કે તું અમારી વિડંબના શા માટે કરે છે ? કઠુઆ, બડુઆ, સોહિ અમે ત્રણે જણા તારા દાસો છીએ. એવું જાણી વાર્તાની પરંપરા જાણીને શઠપણું ધારણ કરતો શેઠ હસીને બોલ્યો કે તમોને હું જીવતા છોડવાનો નથી. નિશ્ચય મારીશ આથી તે વારંવાર નમ્રતાથી શેઠને પોતાનો બચાવ કરવા વિનવે છે. ત્યારે દષ્ટિએ કહ્યું કેએકવાર તમોનો હું રાજા પાસે લઇ જઇને દેખાડીશ, પણ તમોને મારીશ નહિ. જાઓ. તમોને અભયદાન છે. એમ કહી જમણો હાથ આપી (વચન આપી) તેને રાજા પાસે લઈ ગયો અને રાજાને તેનું રૂપ બતાવ્યું સર્વને વિદાય કર્યા રાજા આશ્ચર્ય પામ્યો. તેની શક્તિ જોઇ રાજાએ ભંડારને ખૂલ્લો મૂકયો શેઠને બહુદ્રવ્ય આપ્યું લોકો શેઠની સ્તુતિ કરવા લાગ્યા અને દુનિયામાં તેનો યશ વિસ્તાર પામ્યો. લોકો મંત્ર તંત્ર સાધે છે, જયોતિષ જોવરાવે છે, ધ્યાન ધરે છે, જાપ કરે છે, તો પણ દેવો આવતાનથી. અને આ શ્રેષ્ઠીએ કડવા બડવા સોહિખાઓ એટલે તલ કડવા બડવા જેવા હોય તેવા કાંકરા કાઢી સોહિખાઓ એટલે શુદ્ધ કરીને ખાઈ જાઓ. આવા વચનથી જ રાક્ષસ રાક્ષસણી ભય પામી શેઠના દાસ થયા.આ વચનમાં કંઈ દેવત ન હોતું, તો પણ શેઠના પુન્યોદયથી જ અસાર વચન પણ સારભૂત થયું માટે છે ભવ્ય પ્રાણીઓ પુન્ય કરો, પુન્ય કરો, પુન્ય કરો, પુન્ય કર્યા વિનાસુખની આશા રાખશો નહિ. ( પુન્યોદયે અંબુચીચ રાજાનું ત્રીજું દષ્ટાંત (૩) O પૃથ્વીતિલક નગરે જીતશત્રુ રાજાના રાજયમાં લોકો મહાન સમૃદ્ધિવાળા હતા.રાજાને ૧૦૦ પુત્રો સૂરવીરો તેમજ ચતુરાઇવાળા હતા. તેમાં છેલ્લો નાનો પુત્ર કાને બહેરો છે.વાણી અવ્યક્ત (સ્પષ્ટ બોલતા નથી) જેવો છે તે તૃષાતુર થાય ત્યારે અંબુ બોલે છે. વસ્ત્ર ૧૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy