SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CY પુન્યોદયે ચંદ્રશ્રેષ્ઠીની ક્યા (૨)TO પુણ્યપુરને વિષે ચંદ્રશ્રેષ્ઠી પ્રકૃતિથી જ દાતાર અને મહાજનનો પ્રિયહતો.દયાળુ તેમજ જૈન સાધુની સેવા કરવામાં પ્રિય હતો તે નગરનો સ્વામી અરિમર્દનરાજા પ્રજાનું પાલન કરે છે. હવે એકદા પ્રસ્તાવે તે નગરમાં કડુઆ, બહુઆ નામના બે ભાઈઓ રાક્ષસો, અને એક સોહી નામની તેની બહેન રાક્ષસી- આત્રણ જણા આવ્યા, અને ઘરે ઘરે લોકોને રોગનો ઉપદ્રવ કરી, દુ:ખી કરવા લાગ્યા. લોકો પણ દુઃખથી બિચારા મરવા લાગ્યા.રાજા પણ લોકોના દુઃખના ત્રાસથી પીડાવા લાગ્યો એકદા રાજાએ સભામાં કહ્યું કે મારા નગરનાક્ષયનું કારણ જાણીને જે મને કહેશે અને દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરશે તેને માટે મારો ભંડાર ખુલ્લો છે. તેમને જે જોઇએતે લઈ લે. તે વચન ત્યાં બેઠેલા રાજાના પ્રિતીપાત્ર એવા ચંદ્રશ્રેષ્ઠિયે સાંભળ્યું ત્યારબાદ શ્રેષ્ઠી પોતાને ઘેર ગયો. આગલા દિવસે શ્રેષ્ઠિએ છોકરાને ખાવા માટે તલ આણેલા હતા તેને બાળકો ખાય છે અને ફર્યા કરે છે. તે વખતે શ્રેષ્ઠીના કુટુંબને ભક્ષણ કરવા માટે કઠુઆ, બડુઆ, સોહિ ત્રણ જણા આવેલા છે. પણ શેઠનુંઘર મહાપુણ્યશાળી હોવાથી ત્રણે જણા તેના ઘરમાં પેસી શકતા નથી. પ્રવેશ કરવાનો લાગ શોધે છે. હવે ઘર મધ્યે રહેલા શ્રેષ્ઠીને તેના છોકરાઓએ કહ્યું કે હે તાત ! આ તલ કાંકરાયુક્ત તથા કડવા છે, તે કેવી રીતે ખાવા ? તે વખતે શ્રેષ્ઠીએ રોષથી પ્રાકૃત ભાષામાં કહ્યું કે - કઠુઆ, બહુઆ, સોહિ, ખાપ્તિ આવું વચન સાંભળ્યું. તેથી તે ત્રણે જણાએ વિચાર્યું કે- અહો ! મહાઆશ્ચર્ય,આપણે અદશ્યપણાથી આવ્યા છીએ, કોઈ જાણતું નથી, દેવજાતના છીયે છતાં આ આપણા નામો પણ જાણે છે, માટે આ કોઇ ત્રિકાળજ્ઞાની લાગે છે. નિશ્ચય મંત્ર શક્તિથી આપણને ખેંચીને મારી નાખશે એવી રીતે ભયબ્રાંત થઈ શ્રેષ્ટિના પુણ્યોદયથી આવીને શ્રેષ્ઠિને ૧૬૩ ભાગ-૧ ફર્મો-૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy