SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મરણ પથારીએ પડેલી છે, તે વખતે રાજા ત્યાં ગયો ત્યારે દેવયોગે રાણી પણ ઝાડા બંધ થવાથકી સારા વસ્ત્ર પહેરીને ત્યાં બેઠી છે, હવે દિવ્ય રૂપવાળી રાણીને દેખીને રાજા વિચારે છે કે અસારને ગ્રહણ કરનારા એના સારને તિરસ્કાર કરનાર અમારા જેવાને ધિક્કાર થાઓ કે આવી રૂપવંતી રાણી છતાં પણ અત્યાર સુધી અમોએ એના સામું ન જોયું. અને જેવા તેવો રૂપવાળી રાણીયોની સાથે ક્રીડા કરી. બસ આજથી આરાણી જ મારી પટરાણી છે. એમ કહીઘણા ગામ, નગરપુર પાટણની તથા હાથી, ઘોડા રથ, પાયદળ તેમજ હીરા, મણિ મૌક્તક, સુવર્ણની સ્વામિની તેને બનાવી, તમામને નમસ્કાર કરવા લાયક બનાવી. પછીરાજા ગયો. આવું દેખી રાણી ચમત્કારપામી તેથી તે બ્રાહ્મણ વૈદ્યને બોલાવી સોનાના સિંહાસન ઉપરબેસાડી સોનાના ફૂલથી પુજીને બે હાથ જોડી કહેવા લાગી કે તમે જ આ લક્ષ્મી આપી છે તે બધી તમારી જ છે. અમે પણ તમારા જ છીએ તમારી ઇચ્છાથી વિષ હોય તે પણ અમૃત થઈ જાય છે, એમ કહી ઘણી સમૃદ્ધિ આપી ત્યાર બાદ હરડે વૈઘ લીલા વડે કરી વિલાસ કરનારો, ભોગ ભોગવવામાં ઇંદ્ર સમાન તેમજ દાન આપવામાં કર્ણ સમાન થયો.સારાંશ એ છે કે પુન્યવાન જીવનને ગમે તે વસ્તુ હોયપણ લાભ આપવાવાળી જ થાય છે તે વાત તો સત્ય છે કે હરડે તો મળાશય ઉપર જ લાગુ પડે છે સબબ હરડે વાપરનારને ઝાડા જ થાય છે તેથી મળાશય સાફ થવાથી રોગ નષ્ટ થાય છે, પરંતુ દૂર દેશઉપર, વસ્તુ ખોવાયેલી હોયતેને પાછી મેળવવા ઉપર, વશીકરણ ઉપર, જયારે એ જ હરડેનું ચૂર્ણ આ વૈદ્ય લાગુ પાડીને તમામમાં યશ મેળવે છે ત્યાં તેની પુન્યાઇ કેમ કહેવાય નહિ, માટે સુખની અભિલાષા વાળા જીવોએ વૈદ્યના પેઠે સંપૂર્ણ પુન્યકરણી કરવાનો ઉદ્યમ કરવો કે તેના પેઠે તમામ કાર્યમાં સંપૂર્ણ લાભ મળે. ૧૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy