SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છતાં પણ પૂર્વ ભવના અભ્યાસથી રાગરૂપી અગ્નિથી બળી ગયેલા મારા ઉપર તેં તારા હૃદયના ઉલ્લસાયમાન થતા સંવેગરંગના રસરૂપી પાણિની ધારાવડે સિંચન કર્યું તે સારૂં કર્યું છે, અને તેથી જ મારો રાગરૂપી અગ્નિ શાંત થયો છે.' જ્યાં સુધીમાં સુકૃતહિત અને શરણરહિત છીએ ત્યાં સુધીમાં શીવ્રતાથી આત્મહિત કરવા ઉજમાળ થઇયે . એ પ્રમાણે વિચાર કરી રાજા અને રાણી જેવામાં સંયમ લેવાનો નિર્ણય કરે છે તેવામાં પોતાના નિર્ણય જ્ઞાન ગુણથી લાભનું કારણ જાણીને બહુ સાધુના પરિવારથી પરિવરેલા શ્રેષ્ઠ જ્ઞાની શ્રુતજધિ નામના મુનિ મહારાજા નંદન નામના ઉદ્યાનમાં આવીને સમોવસર્યા. ઉઘાનપાલકે રાજાને વધામણી આપવાથી તેને પારિતોષિક આપી સાત આઠ પગલા કેવળજ્ઞાની મહારાજ સન્મુખ જઇ રાજાએ મુનિને વંદન કર્યું. પછી દેવી, કુમાર, તથા મંત્રી પ્રમુખ અન્ય લોકોના પરિવારથી પિરવરેલો દેવોની સાથે જેમ ઇંદ્ર તેમ રાજા હસ્તિરત્ન ઉપર બેસી પાંચ પ્રકારના અભિગમયુક્ત ઉલ્લુસાયમાન અત્યંત આનંદના સમૂહથી વિકસ્વર થયેલ છે. રોમરાજી જેની એવા રાજા સૂરીશ્વરજી મહારાજ પાસે ગયા અંપકમાળા દુર્લભદેવી પ્રમુખ અંતેઉરના પરિવારથી યુક્ત રાજા ત્યાં સૂરીશ્વર મહારાજના ચરણને નમસ્કાર કરી યોગ્ય આસને ભૂમિ ઉપર બેઠા અવસર દેખી કરૂણાના સમુદ્ર સમાન સૂરિશ્વરજી મહારાજાએ મેઘની સમાન અત્યંત ગંભીર એવા પોતાના સ્વરવડે સંસારના સ્વરૂપની દેશના દીધી અને ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થયું. તે વખતે રાજાએ મુનિ મહારાજને વિનંતિ કરી હે પ્રભો ! દીક્ષા આપી અમારો ભવ સમુદ્ર થકી ઉદ્ધાર કરો,’ મુનિવર બોલ્યા' હે નરેંદ્ર ! આ કાર્યમાં તને નિર્વિઘ્નપણું હો.' પછી મુનિ મહારાજના નજીકના સ્થલમાં રહેલ શેરડીના વાડાને વિષે દેવીયો, કુમાર, અને મંત્રિવર્ગની સાથે રાજાએ જઇ તુરત કુમારને સિંહાસન ઉપર બેસાડી મંત્રી લોકોને કહ્યું કે -‘મેં ભુવનાનંદ કુમારને ૧૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy