SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રીતે ચિંચળ એવી મનુષ્ય જીંદગી પામી તેની સાર્થકતા કરવાને બદલે સ્ત્રીના પરવશપણેવ્યર્થ ગુમાવવી સમજુ માણસને કેમ પાલવે આત્માને સમજાવવો ઘટે છે કે તું જૈન શાસન પામીને પણફોગટ હારી જાય છે. તું વિષયને વિષે પ્રીતિ ખંડોને તું ભાંગીનાખે છે. તથા મદોન્મત્ત હસ્તિની પેઠે સદ્ ધર્મની દેશના રૂપી તીક્ષ્ણ અંકુશના પ્રહારને પણગણતો નથી હે હૃદય ! હે હતાશ ! જિનેશ્વર મહારાજના મતને પામીને પણ માર્ગાન્તારે ચાલી ભ્રષ્ટ થઈ વિષયસુખની વાંછા કરી જીવિતવ્યને માટે હળાહળ વિષનું પાનકરે છે. તે વિષવડે કરી હણાયેલ છે, તે ધતુરાનું પાન કરેલ છે અથવા તું મોહથી ઠગાયેલ છે, કે તું જાણતા હતા પણ મઢની જેમ વિષયને વિષે સુખની ઇચ્છા કરે છે. તારા ઉંચપણાને વિવેકને પ્રાપ્ત કરેલ છતાં પણ તે વિષયસેવનની વાંછા કરે છે. રે જીવ ! વિષયોને વિષના પેઠે તું જાણ, વિષયોને ખડ્રગની ધાર સમાન તું જાણ, વિષયોને મષિના સમાન તું માન, કારણ કે તે વિષયો બુદ્ધિનો ઘાત કરનારા, પુન્યનું છેદન કરનારા અને કીર્તિને મલીન કરનાર છે. તે કારણ માટે રે જીવ ! તારે વિષયને વિષે એકક્ષણમા પણ મન કરવું લાયક નથી. કારણ કે ઇંદ્રધનુષ્યની સમાન ચપળ એવા વિષયોની તૃષ્ણા કરવી નકામી છે આવા પ્રકારે મનને સ્થિર કરી ભવ સ્વરૂપનું ચિંતવન કરો કે જે વડે જન્મ જરા મરણને હરણ કરનાર સંવેગરૂપી નિર્મળ રસાયણ મેળવવા આપ શક્તિમાન થાઓ.” એવા ચંપકમાળાના વચનોને શ્રવણ કરવાથી ઉત્પન્ન થયેલા સંવેગરંગ વડે કરી સાડી ત્રણ કોડ રોમરાજીના વિકસ્વર ભાવોને ધારણ કરનાર રાજા સ્નેહ યુક્ત વચનો વડે ચંપકમાળાને કહેવા લાગ્યો કે- પ્રથમ મનેમિથ્યાત્વરૂપી કાદવથી ઉદ્ધાર કરી સમ્યક્ત્વ મા સ્થાપન કર્યો તેવી જ રીતે હાલમાં પણ મને ઈહલોક પરલોકને હિતકારી કર્તવ્યને વિષે સારી રીતે ઉજમાળ કરેલ છે વળી રાજયધૂરાને ધારણ કરવા સમર્થ ન થયેલા એવા પુત્ર રત્ન, ૧૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy