SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાન્ત થાઓ-બૂઝાઇ જાઓ અને બળી ગયેલું તથા બળતુ બધું જેમ હતું તેમ સારૂ ઠીંક થઈ જાઓ.' આવી રીતે ચંપકમાળા બોલી કે તુરત શાસન દેવતાએ તેના બોલ્યા પ્રમાણે શીઘ્રતાથી કરી દીધું. હવે કુતુહલથી તથા ભક્તિથી જે દેવતાઓ ત્યાં આવ્યા હતા તેણે જયતિ, જયતિ સુશીલા’ ઇત્યાદિ ઉદઘોષણાપૂર્વક ચંપકમાળાની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને જય જય શબ્દના સાથે દેવ દંદુભિઓના નાદ થયો તથા ગગનમંડળને વિષે દેવાંગનાએ નાટારંભ શરૂ કર્યો નગરમાં પૃથ્વીને વિષે કંકુનાં છાંટણાં નાકાણાં તથા મોટી મોટી માળાઓ સહિત ઘર ઘર પ્રત્યે તોરણો બંધાવ્યા અને બાળકથી તે વૃદ્ધ પર્યંત લોકો છીંક ખાતા ત્યારે પણ ‘ચંપકમાળા જયતુ જયતું’ બોલતા. હવે અદ્ભુત આશ્ચર્ય દેખી પરિવ્રાજિકા ભયભીત થઇને ચિંતવવા લાગી કે ‘આ અનર્થને ઉત્પન્નકરવામાં મૂળ કારણભૂત હું છું માટે હવે મારે મરણનું જ શરણ છે, કારણ કે મેં પાપિણીએ અનેક પાપકર્મો કરેલા છે તેથી મારે લાખો દુ:ખો સહન કરવાં પડશે તેમાં પણ આતો મહા પાપ છે, કારણ કે જૈન મતમાં નિપુણ પુરૂષો અપ્રતિષ્ઠાન નરકાવાસને વિષે મહાપાપ કરનારો ઉત્પન્ન થાય છે તેમ કહે છે અને હું પણ આવા ઘોર પાપ કર્મથી કદાચ પામું, તે સિવાય મારી બીજીગતિ નથી. તો પણ સમગ્ર લોક સમક્ષ મારૂ પાપકર્મ હવે પ્રગટ નથી. તો પણ સમગ્ર લોક સમક્ષ મારૂ પાપકર્મ હવે પ્રગટ કરીને ત્યાં જઇને આ મહા સતીનાં ચરણકમળમાં પડી નમસ્કાર કરૂ એવીરીતે કરતાં મારૂં પાપ કર્મ ભારેકર્મીપણાથી કાંઇક ઓછું થાય, એટલે કે તેને ખમાવી કાંઇક પાપ ભારથી હલકી થઇને હું મરૂ તો સારૂં'એવી વિચારણા કરી સાહસને ધારણ કરી, શીવ્રતાથી દિવ્ય ભૂમિને વિષે જઇ, પોતાના બે ભુજાદંડ ઉંચા કરી, પરિવ્રાજિકા સભા સમક્ષ બોલી ‘આ જૈન શાસન જયવંતુ વર્તો, કારણ કે જૈન શાસને વિષે પ્રગટ પ્રાતિહાર્ય વાળી મહા પ્રભાવવાળી મહાસતીયો હાલમાં પણ વિદ્યમાન છે.' પછી Jain Education International ૧૫૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy