SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મંડ્યાં છે. હવે ધર્માધિકારીયોએ મંત્રીને જેવો અડદનો દાણો તેમાં નાખ્યો કે તુરત પ્રલય કાળના જેવા અગ્નિ અસ્માત પ્રજવલિત થયો. સર્વથા પ્રકારે તડુ, તડું ત એ પ્રકારના શબ્દોથી આકાશ મંડળ ભરાઈ ગયું, ખ, ખડુ ખડુ કરતાં મહેલોના શીખરો ખરી પડવા લાગ્યાં, ત્ર, ત્રડુ, ત્રડુ કરતો નગરનો કોટ કિલ્લો તૂટી પડવા મંડયો, માતા પિતા પુત્રને, પુત્ર માતાને શીઘ્રતાથી છોડી દઈ પ્રાસાદના ઉંચા શીખરો પર ચડી મોટા મોટા સ્વરોથી પોકાર કરવા લાગ્યા રૂદન કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા. હા હા હા પુત્ર ! હા હા હા માત ! આવા પ્રકારનો શબ્દ લોકોમાં ઉછળ્યો,તે વખતે આકાશને વિષે શાસન દેવતા એ પ્રકારે બોલ્યા કે-“રે રે ચંદ્રમાની કળાની સમાન નિષ્કલંક નિર્મલ એવી આ ચંપકમાળા દેવીના ઉપર કલંક નાખનારા તથા પોતાના આત્માના જ વૈરીઓ એવા તમારા જેવાને આ પોકાર કરવાપણું કેટલા માત્ર છે ? અર્થાત્ આના ઉપર કલંક નાખવાથી તમોને માન આપત્તિ આવી પડશે તેમ સૂચવ્યું. ' ગગન મંડળને વિષે આવા પ્રકારના શાસન દેવતાનાં વચનો સાંભળી ભયભીત થયેલ નગરનો સમગ્ર લોકવર્ગ ચંપકમાળાના ચરણમાં પડીને હાથ જોડી વિનવવા લાગ્યો,-હે દેવિ ! અનાથના પેઠે બળી જાતું એવું સમગ્ર નગર ભસ્મીભૂત થાય છે માટે તું રક્ષા કર, રક્ષા કર, કારણ કે આ વિનીત દાસવર્ગ ઉપર તમારા જેવા ઉત્તમ જીવો કદાપિ પરાડમુખ હોતા નથી” રાજા પણ બોલ્યો “સ્ફટિક રત્નની સમાન નિર્મળ શીયાળવાળી હે દેવિ ! પરમ બ્રહ્મચર્યને ધારણ કરનારી એવી તારા વિષે મૂઢ લોકોએ જે કલંકનો દોષ ચડાવ્યો છે તે તેના પાપરૂપી વૃક્ષના ફલની સમાન આ ઉપદ્રવને તેઓ અનુભવ કરે છે, કારણ કે હવે તારા પ્રસાદ શિવાય આ લોકોને બીજું કાંઈ શરણ ભૂત નથી.” પછી ચંપકમાળા દેવી બોલી કે “આ અરિકેસરી રાજા સિવાય બીજો કોઈપણ પરપુરૂષ મારા મનમાં પણ ન વસતો હોય તો શીધ આ અગ્નિ સ્વયમેવ ૧૫o Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy