SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દેવીએ સાંભળ્યો છે તેથી તે કહે છે કે દિવ્યશુદ્ધિ થશે ત્યારે જ ભોજન કરીશ અન્યથા નહિ આવો મારો નિશ્ચય છે તેમ દેવી કહે છે માટે તપાવેલા અડદના દાણાદિક વિગેરે સામગ્રી શીઘ્રતાથી તૈયાર કરો.” આવાં ધર્માધિકારિનાં વચનો સાંભલી નાગરિકલાકો બોલ્યા કે “પામર અને મૂર્ખ માણસોના બોલવાથી શું તે યુક્ત છે? અર્થાત્ નથી જ ત્યારે રાજા બોલ્યા કે તમારૂ કહેવું યુક્ત છે તો પણ જેણે અવર્ણવાદ લોકોને વિષે પ્રગટ કરેલો છે તે અપવાદ લોકને વિષે ફેલાવાથી મોટાના મહાભ્યને પણ હણનાર થાય છે.કહ્યું છે કે વિરૂદ્ધ હોય, સત્ય હોય કે અસત્ય હોય અથવા કોઇ બીજા હોય તેવા પણ લોકવાયકો અસહ્ય છે. લોકશબ્દ આ જગતમાં સર્વથા પ્રકારે માનને હણનારો થાય છે. કારણ કેતુલા નક્ષત્રમાંથી ઉતરેલ અને પ્રગટપણે સમગ્ર અંધકારના સમૂહને નાશ કરનારો એવો પણસૂર્ય કન્યા નક્ષત્ર પ્રત્યે ગયો. આવી લોકિક શ્રુતિ (લોકોનો શબ્દ) થાય છે.' ત્યારે લોકો બોલ્યા કે “આ બાબતમાં આપ જ પ્રમાણે છો, આપને જે યોગ્ય લાગે તે કરો.” એવી રીતે લોકોના કહેવાથી વૃદ્ધાને મોકલી રાજાએ ચંપકમાળા દેવીને દિવ્ય સ્થાને બોલાવી.તેણી પણ પૌષધ શાળામાંથી પૌષધને પારી, વિધિથી જિનેશ્વર મહારાજને પૂજીને, શિબિકા ઉપર બેસીને દિવ્યભૂમિને વિષે ગઈ અને વૃદ્ધાના મુખથી રાજાને જણાવી આજ્ઞા માગી. દુર્લભદેવીઆદિ અંતઃપુરની બીજી રાણીયો પણ પડદાની અંદર રહી ત્યાં જોવા લાગી. આ સમયે નગરને વિષે ક્ષોભ પામેલો લોક સમુદાય એક મલ્યો. ચંપકમાળાનું આજે શ્રેય (ભલુ કલ્યાણ) થાઓ એવો શબ્દ સમૂહ લોકોના મુખથી ઉછાળ્યો. જવાજલ્યમાન અગ્નિ પ્રજલિત થયો. તેના ઉપર મૂકેલી તેલનીકડાઇમાં તેલ પણ બહુ જ તપી ગયું. હવે જેમ જેમ અગ્નિ પ્રજવલિત થાય છે અને જેમ જેમ મોટી મોટી લહેરોથી તે પણ તપી તપીને ઉછળવા મંડ્યું છે તેમ તેમ લોકોના હૃદયો પણ બળવા ૧૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy