SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે ધર્મ જ સકલ ઇચ્છિત સુખોને આપવાના પ્રબળ કારણ સમાન છે' એ પ્રમાણે ચિંતવના કરી કોઈ વાર કોયલના સમાન મધુર કંઠવાળી ચંપકમાળા સ્વાધ્યાય ધ્યાન કરવા લાગી, કોઈ વાર મહા સુગંધ પુષ્પો વડે કરી ભક્તિભાવથી પરમાત્માનું પૂજન કરવા લાગી, કોઇવાર ઘણા ભવભ્રમણો આ જીવે કર્યા છે તેવી ભાવના મનમાં ભાવવા લાગી, કોઈવાર મનોહર શુદ્ધ જૈનધર્મને વિષે પોતાનું મન લયલીન કરવા લાગી, ઇત્યાદિ અનેક પ્રકારના ધર્મ વિનોદોથી કુમત ત સખીજન સહિત પોતાના દિવસોને નિર્ગમન કરવા લાગી, તેમજ સામાયિકાદિ અનુષ્ઠાનની અંદર તત્પર રહી પ્રફુલ્લિત મને રાત્રિઓને વ્યતીત કરવા લાગી હવે અન્યદા મહત્તરા જે હતીતેણે ચંપકમાળાને એકાંતે પુછ્યું કે‘તારે વિષે રાજા મંદ સ્નેહવાળો કેમ દેખાય છે ? ત્યારે ચંપકમા!! બોલી કે - ‘જેમ ચંદ્રની કળાઓ સ્વલ્પ વિશેષની ઘટાને પામે છે તેમજ સ્ત્રી ભરથારને પણ કર્મવશાત સ્નેહમાં વૃદ્ધિ હાનિ થાય છે કિંપાકના ફલની સમાન આપાતમાત્ર મધુર અને પરિણામે મહાન દુઃખદાયક એવા વિષયો તો જરૂ૨ વર્જવા લાયક છે. તે વિષયો જે પોતાની મેળે જ નાશ થતા હોય તો તેમાં અયુક્ત શું છે ? ત્યારે મહારા ોલી કે -‘એમ હો પરંતુ લોકને વિષે પ૨પુરૂષ સંગમનો પ્રવાદ અપવાદ તારો બોલાય છે અને સજ્જનના હૃદયોને વિષે દુઃખ થાય છે.' ત્યારે ચંપકમાળા બોલી કે‘લોકો શાથી અને કેવા પ્રકારે પુરપુરૂષનો સંગ કરનાર મને કહે છે.’ ત્યારે મહત્તરા બોલી કે ‘કોઇ વિદ્યાધર તારા સાથે ક્રીડા કરે છે.' ચંપકમાળા ચિંતવના કરવા લાગી કે ચૂડામણિથી મેં જે જાણ્યું છે તે સત્ય થયું લોકને વિષે તેણે મારી અપકીર્તિ કરી. પછી ચંપકમાળા બોલી કે – ‘તે પ્રકારે હું પ્રયત્ન કરીશ કે પરના દુઃખે દુઃખી થયેલા સજજનો તથા તમારા જેવાનાં મુખો ઉજવલ થાય' ચંપકમાળાના આવા વચન સાંભળી, “મહાપ્રસાદ” એમ કહી મહત્તરા પોતાના સ્થાનકે ગઇ અને ભાગ-૧ ફર્મા-૧૧ Jain Education International ૧૪૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy