________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એકાંતમાં બેસી નીચે પ્રમાણે રાણીને કહેવા લાગી કે “હે દેવી, આપને પુત્ર નથી, વળી પુત્ર રહિત સ્ત્રીને સ્વામીનો પ્રેમ હોય તો પણ કાળે કરી નષ્ટ થઈ જાય છે, તેમજ જેને પુત્ર નથી હોતો તેની સદ્ગતિ થતી નથી, તે માટે મારું કહેલું વચન તું કર. અને મંત્રથી પવિત્ર કરેલી મૂળિકા તથા રક્ષાદિકને ગ્રહણ કર, તેમજ મારેહાથે મંત્રેલી રક્ષા તથા મંત્ર મૂળીયાદિકના પાણીથી તું સ્નાન કર તથા કાલિકાદેવીની પૂજા કરી હોમ તર્પણાદિક કરી વિવિધ પ્રકારની માનતા બાધા સહિત પુરા સંબંધિ નિયમોને કર કે જેથી કરીને તને શીઘ્રતાથી પુત્રની પ્રાપ્તિ થાય.” આ પ્રકારે બોલીને પરિવ્રાજિકા શાન્ત રહી ત્યારે દેવો સહિત ઇન્દ્રના વૃદોથી પણ સમ્યકત્વથી ક્ષોભ નહિ પામનારી રાણી બોલી કે “જો કે તું અન્ય લોકને એવું બોલી બોલીને છેતરે છે પણ દુઃખના સ્વરૂપને તથા ભગવાનના સ્વરૂપને જાણનારા અને જિનેશ્વર મહારાજના વચનોને અંત:કરણમાં સ્થાપના કરનારા જીવો ને વિષે અમૃતને વિષે જેમ ઝેર સંક્રમણ થતું નથી તેમ તારૂ વચન પણ સ્થાન પામી શકતું નથી. પરિવ્રાજિકા ! તેં મને કહ્યું કે તું પુત્ર રહિત છે, તો હું તને પુછું છું કે ચક્રવર્તીના સ્ત્રીરત્નને કેટલા પુત્રો હોય છે ? તે તું મને કહે વળી તું કહે છે કે અપુત્રીયાની સદ્ગતિ થતી નથી પણ તે મોહવિલસિત જાણવું કારણ કે પુત્રો જે છે તે બ્રહ્મચર્ય ખંડનના હેતુભૂત છે અને બ્રહ્મચર્ય જે છે તેને વિષે ધર્મ રહેલ છે અને તે ધર્મથી સદગતિ થાય છે. જો પુત્રોથી સદગતિ થતી હોત, તો બકરી, કુકડી, શુકરી શકુની ચકલી વિગે પ્રથમ સ્વર્ગે જવા જોઇએ કારણ કે તેને ઘણા પુત્રો થાય છે,રક્ષા તથ મૂળિકાના પ્રયોગથી તથા સ્નાનાદિક કરવાથી જો પુત્ર પ્રાપ્તિ થતી હો તો આ જગતને વિશે કોઇ પણપુત્ર વિના વાંઝીયા રહેત જ નહિ. મ હે ધૂતારિ ! લોકોને ફોગટ ભ્રમમાં તું ન નાખ. વળી તે કહ્યું કાલિકાદેવીની પૂજા માનતા વિગેરેકર, તો તું પ્રથમ મને કહે કે કા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org