SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જણાવ્યું કે કાંઈપણ અપરાધ મારો કરેલ જ નથી અને ચંપકમાળાને મેળવી આપવાથી તારો બદલો હું કોઇપણ પ્રકારે વાળી શકું તેમ નથી, તેવું સૂચવ્યું તે વખતે અમરગુરૂના પુત્રને બોલાવીને તેના પિતાના પદે સ્થાપન કર્યો, સભા સમક્ષ વિવિધ પ્રકારે તેનું સન્માન કરી કેદખાનામાંથી સર્વ લોકોને મુક્ત કર્યા તથા અમારીની પડહ વગડાવ્યો અને અમરગુરૂ પાસે ધનહીન અંધાદિકને દાન અપાવ્યું. અમરગુરૂએ સાધર્મિક વર્ગની ભક્તિ કરવાપૂર્વક જૈન મંદિરોને વિષે મન તથા નેત્રને સુખદાયક એવો અષ્ટાહિકા અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો. ઇત્યાદિ પ્રકારનું તત્કાલ ઉચિત એવું સર્વ ધર્મકૃત્ય કરીને તથા વળી ધર્મકાર્યાદિ નિમિત્તે બહુ દ્રવ્ય. અર્પણ કરીને અત્યંત વેગવાળા વાહનો તેમજ માર્ગને વિષે સહાય કરનાર શ્રેષ્ઠ એવા સુભટો સાથે અનુકૂળ મુહુર્તે અનુકૂળ શુકને બહુમાન પૂર્વક દીક્ષા ગ્રહણ કરાવવા માટે રાજાએ અમરગુરૂને વિસર્જન કર્યો. તે અમર ગુરૂ પણ રાજાએ અર્પણ કરેલા દ્રવ્યથી માર્ગને વિષે જૈન મંદિર તથા મહોત્સવાદિ સમગ્ર ધાર્મિક કર્તવ્યોને કરવા પૂર્વક પ્રયાણ કરતો જઇને શ્રી સમયસમુદ્ર કેવળજ્ઞાની મહારાજના ચરણકમળને વિષે જઇ શિઘ્રતાથી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના સંયમ અનુષ્ઠાન તપકર્માદિકથી કર્મને ક્ષીણ કરી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અમરગુરૂ મોક્ષે ગયા. હવે રાજાને પ્રથમ બહુ જ વલ્લભ એવી દુર્લભ દેવી નામની રાણી હતી. તે રાણોયે બહુ જ કૂડકપટથી ભરેલી સુસા નામની પરિવારિકાને બોલાવી. બહુ સેવા કરવા પૂર્વક તેણીને કહ્યું કે “હે ભગવતિ ! ચંપકમાળા ઉપર કાંઈક કલંક આવે તેવું કર કે વિષમિશ્રિત ભોજનની શંકાની પેઠે રાજા તેને શોધતાથી ત્યાગ કરે.' ત્યારે પરિવ્રાજિકા બોલી કે – “આ ચંપકમાળાએ પોતાના સ્ત્રીપણાને શ્રેષ્ઠ ગુણોથી કાંઈ રાજાને વશ કરેલ નથી પરંતુ આ રાજા પોતે જ મૂઢપણાથી એમ માને છે કે પરમ ૧૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy