SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ તુરત જયોતિષીને સભામાં બોલાવી પુછયું કે આ કુમારીને પાણિગ્રહણ કરવાનું લગ્ન શીવ્રતાથી નિવેદન કરો. જ્યોતિષીયે કહ્યું કે - “હાલમાં આ વર્ષમાં સારૂ લગ્ન આવતું નથી કારણ કે મનુષ્ય ક્ષેત્રમાં રહેલ જીવોએ હાલમાં લગ્ન કરવામાં દોષ બતાવેલ છે માટે તેર માસથી અધિકકાળ થયે છતે અને ગુરૂ એક રાશિને વિષે ગયો છતે વૈશાખ માસે ઉત્તરાફાલ્ગન નક્ષત્રના પ્રથમ પાદે શુકલ એકાદશીને દિવસે સુહર્ષયોગ શુકે રવિ નક્ષત્રથી દશમે અંશે ઉદયથી પાંચ ઘડી ગયે છતે અને ઘડીના ત્રણ ભાગ ન્યુને વૃષલગ્નને લવઉત્તમાંશે ઉદયાદિ શુદ્ધિ યુક્તપંચગ્રહ બલીષ્ઠ છતે રવિ શુક્ર ઉંચ સ્થાને પામે છતે લતાદિ દોષોથી મુક્ત થયેલ હે નરવર ! શ્રેષ્ઠ લગ્ન આવે છે.” તેમ કહીતેને લખી પુરોહિતને આપી રાજાએ જયોતિષીનું સન્માન કરી તેને વિસર્જન કર્યા ત્યાર પછી અરિકેસરી રાજાને મજજનશાળામાં લઈ જઈ મર્દન કરનારા પાસે લક્ષપાક તેલ વડે મર્દન કરાવી, પાણીથી તેમનું શરીર સાફકરાવી, ઉત્તમ હરીગાળ વસ્ત્રથી શરીરને લુંછન કરાવી, સુંગધી પદાર્થોનું તેને અંગેવિલેપન કરાવી, શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરાવી પહેરાવી દેવાલયમાં લઈ જઈ, પુષ્પગંધાદિક અર્પણ કર્યા. તેથી તેણે પણ દેવને વ્યવહારથી પૂજા પછી પરિવાર સહિત રાજાને ભોજનશાળામાં લઈ જઈ, ઉત્તમોત્તમ ભોજન કરાવી,પલંગને વિષે બેસાડ્યા ને લલિતાંગ રાજા પોતાની પાસે બેઠેલા પોતાના કુટુંબિના મુખ્ય માણસોને પાસે બોલ્યો કે –“આવા પુરૂષરત્નનું અહિ આવવું મહાન પુન્યોદયથી જ થાય છે, માટેઆપણા કૌટુંબિક ગોત્રને વિષે પણ રહેલા માણસોની સારી દશા થવી જોઇએ, માટે તમામ ગોત્રવર્ગને ભોજન કરાવી, સુંદર વસ્ત્રાલંકાર અર્પણ કરી, સર્વને રજા આપવી જોઇએ, એમ કહી ઉપરપ્રમાણેકરી, સર્વને વિસર્જન કર્યા પછી હાથી ઘોડા, રથ, રત્ન અલંકાર,વસ્ત્રાદિકની સન્માન કરી ૧૩૭ ૧૩૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy