SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને જણાવ્યું ને રાજાની આજ્ઞા થવાથી અમરગુરૂ સભાને વિષે ગયો.રાજાએ તેને અત્યંત સ્નેહથીકુશળ સમાચાર પુછી ઉચિત આસન ઉપર બેસાડયો ને પૂછ્યું કે-‘અરિકેશરી રાજાને કુશળ છે ? અને કહ્યું કે શીઘ્રતાથી આવવાનું શું પ્રયોજન પડયું તે તું મને કહે.' અમરગુરૂ બોલ્યોકે-‘રાજપુત્રીએકથન કરેલી વાર્તાને મારા પાસેથી સાંભળી તેમજ ભવિષ્યમાં તે કન્યા પોતાને જ વરવાની છે આવા પ્રકારે પોતાના અહોભાગ્ય માનતોરાજા એક વર્ષનો વિલંબ જાણી અત્યંત ઉત્સુક મનવાળો થઇ કન્યાને નહિ દેખે તો જરૂર પ્રાણનો પણ ત્યાગ કરશે. આવા પ્રકારની સ્થિતિ જોયેલી છે. માટે આપને યોગ્ય લાગે તેમ કરો, એટલે તમારો સંદેશોતમારા મિત્રને રાજાને કહોકે જેથી અમો આ દુ:ખના સંકટથી મુક્ત થઇએ' આવી રીતે જેવામાં અમર ગુરૂ બોલે છે તેવામાં તે કન્યા અકસ્માત ત્યાં પોતાના પિતાના ચરણકમળને નમસ્કાર કરવા પોતાની સમાન વયની સખીયોના પરિવાર સહિત આવી અને પ્રણામ કરવાથી રાજાને તેને પોતાના ખોળાની અંદર બેસાડી રાજાએ તેને પુછયું કે-‘હે પુત્રિ ! તું કહે કે આ વિદ્વાન અમરગુરૂ કોનાકાર્ય માટે ફરીથી ઇહાં આવેલ છે ?' તે કન્યાએ કહ્યું કે ‘તેમના જોડમાં આ સ્થગીધર બેઠા તેમના કામ માટે આવેલ છે’ત્યારબાદ લલિતાંગરાજા વિચાર કરવા લાગ્યા કે આ બરાબર ઘટે છે.કારણ કે આ સ્થગીધરે મને નમસ્કાર કર્યા નથી, તેમ જ મારાથી નીચે આસને પણ બેઠો નથી વળી તેની મૂર્તિ-પણ મહાન રાજરાજેશ્વ૨૫ણું સૂચવનારી છે. એવો નિશ્ચય કરી લલિતાંગ રાજાએ ઉઠી તેને નમસ્કારકરી સિંહાસનઉપર બેસાડ્યોને પોતે અન્ય સ્થાન પર બેઠો ફરી ચંપકમાલાને પુછ્યું કે-‘નવરચના પાણિગ્રહણ કરવામાં એક વર્ષનો તેં વિલંબ કહેલો છે તેનો હેતુ શું છે તે તું કહે’ આવી રીતે કહેવાથી પોતાના પગના અંગુઠાની ઉપર તેટલામાં Jain Education International ૧૩૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy