SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાસ્ત્રનું જ્ઞાન તેને કોઈ એવું અલૌકિક છેકે એવું જ્ઞાન અન્ય કોઈને પ્રાપ્ત થવું બહુ જ દુષ્કર છે, અર્થાત્ એવું જ્ઞાન અન્ય કોઇને નથી. આવું સાંભળી રાજાએ પુછ્યું કે તે કેવી રીતે જાણે છે” ત્યારે અમરગુરૂએ પોતે જે પ્રશ્ન પુછયા હતાતેના ઉત્તર તથા અણપૂછેલા પુત્ર મરણાદિકાના સમાચાર જે પોતે સાંભળ્યા હતા તે સર્વ કહી બતાવ્યા કિ બહુના, હે નરવર ! જો તમારા હાથના સ્પર્શનાસુખના લાભને જો તે કન્યા પામે તો અનુરૂપ જગતને વિષે શ્રેષ્ઠ સંયોગ થાય, આવા પ્રકારના વાક્યને શ્રવણ કરતાં અરિકેસરી રાજાને કામનો ઉદયએવો બલીષ્ઠ થયો કે તે જ વખતે જાણે ઈર્ષ્યાર્થી જ હોય તેમ મોટાઈ અને ધૈર્યપણાને તેનો ત્યાગ કર્યો મતલબ કે પૈર્ય રહિત રાજા થયો, અને આવું ઘટે છે કે કામી અવસ્થામાં માણસોને માન મોટાઈ ધેર્યાદિક રહી શકતા નથી. ત્યાર પછી રાજાએ અમરગુરૂને કહ્યું કે – “તુ બુદ્ધિવડે કરી ઈન્દ્રના ગુરૂ બૃહસ્પતિ સમાન છે તો પણ તારી ભૂલ થઈ કે તે કન્યા માગી નહિ, કારણ કે તે નરવર જો બીજા કોઈને એ કન્યા આપી દેશે તો રત્નનો નિધિ બતાવી અમારા નેત્રો તેણે ઉખેડી કાઢી લીધા તેમ હું જાણીશ. તે સાંભળી અમરગુરૂએ કહ્યું કે - “હે નરવર ! તે કન્યા બીજાનું પાણિગ્રહણ કરનારી નથી કારણકે એક વર્ષને છેડે તેણે તમને પોતાને જ પતિ કહેલો છે.” ત્યારે રાજાએ કહ્યું કે “તો પણ તે કન્યાના દર્શનરૂપી અમૃતના આસ્વાદના કરવામાં લંપટ એવાં મારા નેત્રો મને આનંદ આપતા નથીતે કારણ માટેતે કન્યાની પ્રાર્થના કરવાના નિમિત્તથી તું જલ્દીથી ત્યાં જા અને હું પણ વેષ બદલી તારો સ્થગીધર થઈ કોઈ પણ જાણે નહિ તેમ તારા સાથે જોવાને માટે આવું છું,' રાજાએ આવું કથન કરવાથી ઉત્તમ બળવડે કરી વ્યાપ્ત થયેલો યથાયુક્ત રીતે અમર ગુરૂ વિશાળા નગરી તરફ ચાલ્યો ને ત્યાં જઈ સભામાં બારણા પાસે જઈ ઉભો રહ્યો દ્વારપાળે ( ૧૩૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy