SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રત્યુત્તર આપતી નથી તેટલામાં તેમના અધ્યાપકે કહ્યું કે – “ઉત્તર આપ, કારણ કે જવાબ નહિ આપવાથી વિદ્યાની અહલના થશે” અધ્યાપકના વચનથી વિચાર કરી કોમળ મધુર અક્ષરોથી તે ચંપકમાળા કન્યા બોલી કે અરિકેશરીરાજા એક વર્ષના છેડે મારો સ્વામી થશે. તે બાર વર્ષ માટે વિષે રક્ત રહેશે અને છ માસ સુધી મારાથી વિરકત રહેશે, પાછો સ્વયમેવ રક્ત થશે અને બે પુત્રો તથા એક પુત્રી અને સંતાનમાં પ્રાપ્ત થશે.' આટલું કહી તે કન્યા બોલી, “આ તો તારૂ પુછેલું મેં કહ્યું પરંતુ હાલમાં તમોએ નહિ પુછેલું તે પણતમોને કહું છું તે તમે સાંભળો.આજથી દશમે દિવસેતમારો પુત્ર મરણ પામી પરલોકને વિષે ગયો છે, અને તેજ રાત્રિના છેલ્લા પ્રહરે તમારી સ્ત્રીને ઉત્તમ પ્રકારના શ્રેષ્ઠ ચિન્હોથી વિભૂષિત સુંદર પુત્રને જન્મ આપ્યો છે. ત્યાર પછી ચૂડામણિ શાસ્ત્રથી વિશેષે કરી રૂડા પ્રકારે પરમાર્થને જાણીને યથાસ્થિત પ્રમાણે સ્વરૂપને કહેવા લાગી. મારા પિતાને ઉદ્દેશીને અરિકેશરીરાંજાના આદેશને પામીને જયારે આ તરફ તું ચાલ્યો ત્યારે નિશ્ચયે તે તારો પુત્ર તારા સાથે આ તરફ આવવા ચાલ્યો,પણ તે તેને સાથે આવવા મનાઈ કરવાથી પોતાનું અપમાન માની તે પોતાના સમાનવયના મિત્રો સાથે રજકીડા કરવા લાગ્યો, તેને તું ત્યાંજ મૂકીને આ તરફ ચાલ્યોએક દિવસ જ્યારે ઉદ્યાનનો મહોત્સવ હતો ત્યારે તારા પૂર્વ પુરૂષોનું દિવ્ય ખગ હતું તેને ઉપાડીને જેવો ચાલવા લાગ્યો તે અવસરે તેની માતાએ કહ્યું કે -“આ ખડ્ઝરત્ન પૂજન કરવા લાયક છે પણ વહન કરવા લાયક નથી, માટે હે પુત્ર ! તેને તું મૂકીને જા આવી રીતે કથન સાંભળી, અપમાનિત થયેલ પોતાના માની પૂર્વ કર્મના વશવર્તિપણાથી રાત્રિને વિષે પોતાના માતા પરિવાર વિગેરે શયન કરી ગયા પછી, તે ધીમે શસ્યાથી ઉઠી ઘરની પાછળના ભાગમાં જઈ વાવની અંદર પડયો અને તેમ કરવાથી M૧૩૨ ૧૩૨ રૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy