SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જાણકાર થઈ અન્યદા પ્રસ્તાવે અનેક સામંતો મંત્રીઓ યોદ્ધાઓ વડે ભરાયેલી સભાને વિષે જે વખતે રાજા સિંહાસન ઉપર બેઠા હતા તે અવસરે પ્રતિહારીએ આવી રાજાને કહ્યું કે સ્વામિન્ ! કુણાલા નગરીનો સ્વામી રાજાધિરાજ અરિકેસરી રાજાનો રાજગુરૂના મોટા ગુણોથી પરિપૂર્વ અમરગુરૂ” નામનો પુરુષ આવી બારણે ઉભો રહેલ છે, માટે આપ આજ્ઞા આપો તો તેને સભાની અંદર મોકલું. આવી રીતે કહેવાથી રાજાએ આજ્ઞા કરી કે જલ્દીથી મોકલ. દ્વારપાળે જલ્દી તેને પ્રવેશ કરાવ્યો સભાને વિષે આવેલા અમરગુરૂને રાજાએ ઉઠીને અત્યંત આદરપૂર્વક ઉચિત સ્થાને બેસાડયો અને ત્યારપછી પૂછયું કે અરિકેસરી રાજાને કુશળ છે ?” તે અવસરે પોતાની સખી વર્ગના સમુદાયની પરિવરેલી પોતાના અધ્યાપકની સાથે ચંપકમાળા કન્યા પણ રાજસભામાં આવી અને પોતાના પિતાના ચરણકમળમાં પડી રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડીને હર્ષથી પુછયું કે – “હે પુત્રી ! તું શું ભણી ? તે મને મૂળથી આરંભીને કથન કર.” રાજાએ પ્રશ્ન કર્યાથી જેટલામાં તે કન્યા પણ કાંઈ બોલતી નથી તેટલામાં અધ્યાપક કુમુદચંદ્ર બોલ્યોકે – હે નરવર ! ભણેલું જાણે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ આ આપણી પુત્રી નહિ ભણેલ એવા પણ બહુશાસ્ત્રના પરમાર્થને જાણનારી થયેલ છે.” અધ્યાપકનુ આવા પ્રકારના વચન સાંભળી અરિકેશરી મહારાજાની જો આ સ્ત્રી થાય તો સારું આવી ચિંતવના કરી અમરગુરૂ ચંપકમાળાને પુછવા લાગ્યો કે - “હે વત્સ ! તને ચૂડામણિ શાસ્તું જ્ઞાન છે?” ચંપકમાળા બોલી કિંચિત્ છે. ત્યારે અમર ગુરૂએ કહ્યું કે – “જો છે તો કહે કે ભવિષ્યમાં તારો સ્વામી કોણ થશે ? કયારે થશે ? તથા તારા સાથે કેવા પ્રકારનું વર્તન કરશે? તેને સંતાનની અંદર કેટલા પુત્રો ને કેટલી પુત્રીયો થશે? તે તું મને કહે, આવી રીતે પુછવાથી લજ્જાને લઇને કેટલામાં કાંઈ પણ ૧૩૧ ભાગ-૧ ફર્મ-૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy