SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સખ્યત્વ ઉપર ચંપકમાલાનું દષ્ટાંત આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્ર નામનું ક્ષેત્ર છે અને તે ભરતક્ષેત્રને વિષે વિશાલા નામની નગરી વિશાળ એવા કીલ્લાઓ, વિશાલ એવા વૃક્ષોથી, તથા અત્યંત પોતાના વિસ્તારથી, “વિશાલા” એ પોતાના નામને ત્રણ પ્રકારે સાર્થક કરનારી છે. ઉપસર્ગ, ગુરૂ, લઘુ, ગુણનું બાધપણું તથા વૃદ્ધિ તેમજ વર્ણ નિપાતના વિકારો આ નગરીના લોકોને વિષે નથી પણ માત્ર વ્યાકરણને વિષે છે તે નગરને વિષે યાચક વર્ગના મનોવાંચ્છિત પૂર્ણ કરવામાં એકાંત રીતે તત્પર તથા લોકોરૂપી રાત્રિ વિકાશિતકમલોના ખંડને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન લલિતાંગ નામનો રાજા રાજય કરે છે.આ રાજા સમગ્ર શત્રુઓને જીતનાર, પ્રફુલ્લિત કમલપત્રના સમાન નેત્રવાળો, કલાના સમૂહને વિષે બહુ જ દક્ષતા ધારણ કરનાર, હિત કરનારા જીવો નું રક્ષણ કરનાર તેમજજૈનધર્મને વિષે એકાંતપણે પોતાનાલક્ષ્ય બિંદુને ધારણકરનાર છે તે રાજાને ઉપમારહિત લજ્જા શીયળ અને સુકૃતાદિ ગુણો વડે કરી આશ્ચર્યને ઉત્પન્ન કરનારી શ્રેષ્ઠ ધર્મને વિષે સારી રીતે સજ્જ થયેલી પાપ વડે કરી વર્જિત અને અત્યંત પ્રિય એવી પ્રીતિમતી નામની રાણી છે. તે બન્નેને પાંચ પ્રકારના વિષય સુખોનો અરસપરસ ગાઢ પ્રીતિના યોગ સહ વર્તમાન આસ્વાદન કરતા અનુક્રમે પાંચ પુત્રોના ઉપર શ્રેષ્ઠ રૂપવાળી એક પુત્રી ઉત્પન્ન થઇ જેમ પર્વતની ગુફાની અંદર રહેલી ચંપકમાળા વૃદ્ધિ પામે છે, તેવી રીતે પોતાના દેહની પુષ્ટિ તેમજ ગુણોના સમૂહથી ચંપકમાળા નામની તે બાલિકા વૃદ્ધિ પામી અનુક્રમે તેબાલિકા વિદ્યાપઠનવયને પામેલી થઈ ત્યારે તેના માતા પિતાએ કુમુદચંદ્ર નામના અધ્યાપકની પાસે પઠન કરવા માટે ચંપકમાળાને સોંપી અને થોડા જ સમયમાં વ્યાકરણ સાહિત્ય, ન્યાય, જયોતિષાદિક શાસ્ત્રની સારી રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy