SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ત્યારબાદ મહાનંદે સાત કોટી સોનામહોરોનો સાત ક્ષેત્રમાં વ્યયકર્યો એકદા એક યોગી આકાશગામિની વિદ્યા સાધવા માટે ઉત્તર સાધકની શોધખોળ કરતો મહાનંદને દેખીને બેલ્યો કે હે પુન્યવાન્ ! તું મને સહાય કર કે જેથી કરીને મારી વિદ્યા સિદ્ધ થાયતેણે સ્વીકાર કર્યો રાત્રિએ પર્વતના એક ભાગમાં યોગીએ મંત્ર જાપ કરી દેવીને પ્રગટ કરી તેથી તે દેવી બોલી કે હે યોગિન્ ! હું ઉત્તર સાધક ને વિદ્યા આપીશ, કારણકે કર્મથી અધિક વિધાતાપણ આપવા શક્તિમાન નથી. આવું કહી વીજળીની પેઠે તે અંતર્ધાન થઈ ગઈ. મહાનંદને આકાશ ગામિની વિદ્યા મળ્યા છતાં પણ પોતાને નિયમ હોવાથી સો યોજના બહાર જવાની ઇચ્છા ન થઈ. અને સમુદ્રની પેઠે પોતે મર્યાદા મૂકતો નથી. અનુક્રમે તેને એક પુત્ર થયો અન્યદા તે બાળકને દુષ્ટ સર્પ કરડયો, તેથી ધનદત્ત શેઠે નગરમાં પડહ વગડાવ્યો કે મારા બાળકને કોઈ સારો કરશે તેને મોઢે માગી લક્ષ્મી આપીશ. તેવું સાંભળી એક પરદેશીમાણસે આવીને કહ્યું કે હે શેઠ! અહીંથી મારું નગર એકસો દશ યોજના છે. ત્યાં મારી સ્ત્રી અનેક વિદ્યાવાળી છે. જો કોઈ તેને અહીં લાવે તો આ બાળક તુરત જીવે. તે સાંભળી શ્રેષ્ટીએ મહાનંદને કહ્યું કે-તું તે નગરે જા. મહાનંદે કહ્યું, મારે નિયમ છે. તેના પિતાએ કહ્યું વ્રતને વિષે છે આગાર કહેલા છે. છતાં મહાનંદ માનતો નથી ત્યારે તે નગરનો રાજા તેને કહેવા લાગ્યો કે ધર્મકાર્ય તથા તીર્થયાત્રા માટે હજાર યોજના જવાય તો પણ કોઈ દોષ નથી.તે વખતે બીજા લોકોએ કહ્યું કે અહો ? આનું હૃદય બહુ જ કઠોર છે. બાલહત્યાથી પણ ભય પામતો નથી. મહાનંદરાજાને કહ્યું કે હે સ્વામિન્ ! પ્રાણ થકી પણ અત્યંત પુત્ર વલ્લભ હોય છે અને તે થકી અધિક વલ્લભ ધર્મ હોય છે. માટે મારા કરેલા નિયમને કલ્પાંતકાળે પણ હું તોડીશ નહિ. તેથી રાજાએ કહ્યું કે જો તું ૧૨૫ ૧૨૫ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy