SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે કુમાર જ્યારે યૌવન અવસ્થા પામ્યો ત્યારે પિતાના દ્રવ્યને ઉડાડવા માંડયો અને વ્યસનો સેવવા લાગ્યો. કહ્યું છે કે – પૈસારૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે. અને દારિદ્રરૂપી પાણીના યોગથી તત્કાલ શાંત થઈ જાય છે. તે જયકુમાર એક દિવસ કોઈક ધનાઢયને ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેને સર્પ કરડવાથી મરણ પામ્યો તેના પિતાને રાજા પ્રાતઃકાળેકેદમાં નાખ્યો મહાજન વર્ગે શેઠના પુત્રનું સ્વરૂપ કહી તેને છોડાવ્યો. ત્યારબાદ તેની સ્ત્રીને બીજો પુત્ર ના થયો. તેથી તેની સ્ત્રીએ પુત્રને માટે બીજી કન્યાનું પાણિગ્રહણ કરવા શેઠને આગ્રહ ઘણો કર્યો પણદુષ્ટ પુત્રના ભયથી શેઠ તેનું વચન સાંભળ તો જ નથી કહ્યું છે કે : दुर्जनदुषितमनसां, पुंसा सुजनेऽपि नास्ति विश्वासः। बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य खलु पिबति ॥१॥ | ભાવાર્થ : દુર્જનના વચનો વડે દોષિત થયેલા મનવાળા પુરૂષોને સજજન વર્ગને વિષે પણ વિશ્વાસ બેસતો નથી, કારણ કે ઉષ્ણ દુધથી બળેલો બાળક દહીં ને પણ ફુકીને પીવે છે. સ્ત્રીએ કહ્યું કે - હે સ્વામિન્ ! સર્વે પુત્રો કાંઈ ખરાબ હોતા નથી. કેટલાએક સારી બુદ્ધિના પણ હોય છે, કારણ કે આગમને વિષે ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. ૧ અભિજાત ૨ અનુજાત ૩ અપજાત ૪ અને કુલાંગાર આ ચાર પ્રકારના પુત્રો છે. ૧ અભિજાત : - ઋષભદેવ સ્વામીના પેઠે નાભિ રાજાથી ઋષભદેવ ચડતા થયા. ૨ અનુજાત : પિતાના સંદેશ સૂર્યયશા રાજાના પેઠે ૩ અપજાત હીનપીતાથી ઉત્પન્ન થયેલ ચક્રવર્તીના પુત્રની પેઠે ૪ કુલાંગાર : કોણીકના પેઠે એવી રીતના પુત્રો હોય છે. અને ગુરુના શિષ્યો પણ એવી રીતના હોય છે. સર્વે વૃક્ષો કાંઈ કાંટાવાળાં હોતાં નથી.આવી યુક્તિ વડે કરી હઠ કદાગ્રહનો ત્યાગ ૧૨૩ ૧૨3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy