SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીતળ કરી પ્રગટ થઈ જૈન ધર્મની પ્રશંસા કરી. તે શાસનદેવીએ પૂર્વ ભવે વ્રત વિરોધી વ્યંતરી થઈ હતી તે પરભવે બોધિ બીજને પ્રાપ્ત કરવા કેવલજ્ઞાની મહારાજની વાણીથી જૈન મતની પ્રભાવના કરતી ત્યાં આવી ચડવાથી તેણે રક્ષા કરી તે મહિમાથી વિસ્મય પામેલા બ્રાહ્મણોએ તે ભટ્ટની તથા જૈનધર્મની બહુ પ્રશંસા કરી ત્યારબાદ હર્ષ પામી મુગ્ધભટ્ટ પોતાને ઘેર ગયો તેણે તે વાત સ્ત્રીને કરવાથી તેણીએ ઠપકો આપ્યોકે આવું કામ શું કર્યું ? કદાચ દેવતાએ સહાય ન કરી હોત તો પુત્ર બળી જાત તેથી જૈન ધર્મની તથા તમારી પણ નિંદા થાત માટે કદિ આવું કાર્ય કરવું નહિ અનુક્રમે બંને જણાં ભગવાન શ્રી અજિતનાથ મહારાજ પાસે દીક્ષા લઈ સિદ્ધિમાં ગયાં. બ્રાહ્મણાદિકો પણ બોધ પામ્યા માટે ધર્મને વિષે ઉપરોક્ત પ્રમાણે શંકારહિત થવું. (સંક્ટ વિષે પણ વ્રત નહિ ત્યાગ કરનાર મહાનંદ કુમાર ક્યા અવન્તી નગરીને વિષે કોટી દ્રવ્યનો સ્વામી ધનદત્ત નામનો જૈન શ્રેષ્ઠી વસતો હતો. તેને પદ્માવતી નામની સ્ત્રી હતી. તેને સેંકડો મનોરથ વડે જયકુમાર નામનો પુત્ર થયો.તેના જન્મ, નામ પાડવું, બોલવું, ચાલવું વિગેરે પ્રકારના કાર્યને વિષે તેના પિતાએ મોટા મહિમા કર્યો, કહ્યું છે કે : रागपदे प्रेमपदे, लोभपदेऽहंकृतेः पदे स्वपदे । प्रति पदे कीर्तिपदे, न हि कैव्यव्ययः क्रियते ॥१॥ ભાવાર્થ : રાગને ઠેકાણે, પ્રેમને ઠેકાણે, લોભને ઠેકાણે , અહંકારને ઠેકાણે, પોતાના કાર્ય વખતે, પ્રીતિને ઠેકાણે, કીર્તને માટે આ દુનિયામાં કયા જીવો દ્રવ્યોનો વ્યય નથી કરતા ? અર્થાત્ સર્વે કરે છે. M૧૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy