SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ निर्विण्णः शुचमेति शोकसहितो बुध्धेः परिभ्रश्यते : निर्बुद्धि : क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥१॥ ભાવાર્થ : દ્રવ્યરહિત લજ્જાને પામે છે. લજ્જા જવાથી તેજથી ભ્રષ્ટ થાય છે. નિસ્તેજપણાથી પરાભવને પામે છે. પરાભવથી નિર્વેદને પામે છે. નિર્વેદથી શોકને પોષે છે. શોકને અંગે બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. નિર્બુદ્ધિ મરણને પામે છે. અહો નિર્ધનતા આપદાનું સ્થાન કહેલું છે. ત્યારબાદ લજજાથી પોતાની સ્ત્રીને પુછયા સિવાય અર્ધરાત્રિએ ગુપ્તપણે નગરથી નીકળીને લક્ષ્મીની લાલચમાં બાર વર્ષ પરદેશ ભમી ભમીને ખાલી પોતાને ઘેર આવ્યો ત્યાં સમ્યપ્રકારે પોતાનો વિનય કરનારી સ્વસ્ત્રીને પુછ્યું કે હે સ્ત્રી એકલી તે બાર વર્ષ વ્યતીત કેમ કર્યા ? તેણીયે કહ્યું કે હેપ્રાણપ્રિય પ્રકૃતિ વત્સલ જૈન ધર્મ રક્ત વિમલા નામના સાધ્વીના ઉપદેશ તત્વ રસમાં મગ્ન થયેલી મેં બાર દિવસના પેઠે બાર વર્ષવ્યતીત કર્યાં છે. તે સાંભળી વિસ્મય પામી હસતો હસતો તે બોલ્યો કે તે તત્ત્વ તું મને કહે જેથી હું પણ સુખી થાઉં ત્યારબાદ તેણીએ જીવ અજીવાદિ નવ તત્વના સ્વરૂપને સમજાવવાથી તે પણ શ્રાવક થયો. હવે અન્ય દર્શનીઓએ તે બંન્નેને અત્યંત આક્રોશ કર્યા છતાં પણ બન્ને દઢ ધર્મી પરમાર્હત થયાં અન્યદા સખત ઠંડીના વખતે માહ માસમાં પોતાના પુત્રને લઇને મુગ્ધ ભટ્ટ બ્રાહ્મણોએ વીંટેલી ધર્મને માટે અગ્નિની ઇંટ પૂજવાને માટે ઘણા બ્રાહ્મણો ભેગા થયેલા છે ત્યાં આવ્યો. તેવામાં દ્વેષી બ્રાહ્મણો બોલ્યા કે ઃ પાપિષ્ટ જલ્દીથી દુર જા. દુર જા એમ કહી અતિ તિરસ્કાર કરવાથી બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યો કે, જૈન ધર્મ જ સત્ય છે પણ બીજો ધર્મ નહિ જો તે અસત્ય હોય તો આ મારો પુત્ર બળી જો એમ કહી સાહિસક એવા તેણે પુત્રને અગ્નિની ઇંટમાં નાંખ્યો. બ્રાહ્મણોએ હાહારવ કર્યો છતાં પણ નજીકમાં રહેલ શાસનદેવીએ અગ્નિ Jain Education International ૧૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy