SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવા ગુરૂ તારવાવાળા ન હેવાય છે ये व्यापारपरायणाः प्रणयिनीप्रेमप्रवीणाश्च ये, ये धान्यादि परिग्रहाग्रहगृहं सर्वाभिलाषाश्च ये. ये मत्यावचनप्रपंचचतुरा येऽहर्निश भोजिन स्ते सेव्या न भवोदधौ कुगुरव : सच्छिद्रपोता इव ॥१॥ ભાવાર્થ : જે વ્યાપાર કરવામાં તત્પર હોય, જે સ્ત્રીઓના પ્રેમપાશમાં ફસાયેલા હોય, જે ધનધાન્યાદિ પરિગ્રહમાં વૃદ્ધિ કરી તેને વિષે દ્રઢ આગ્રહવાળા હોય, જે સર્વ વસ્તુપદાર્થની અભિલાષા કરવાવાલા હોય, જે અસત્ય વચનો બોલી પ્રપંચ કરવામાંચતુરાઇવાલા હોય જે નિરંતર ભોજન કરવાવાળા હોય તેવા ગુરૂઓ છિદ્રવાળા વહાણની પેઠે ભવ્ય જીવોને ભવસમુદ્રમાં સેવા કરવા લાયક નથી, કારણ કે વહાણમાં છિદ્ર-કાણાં હોય અને સમુદ્રને તરીને સામે પાર જવાની ઇચ્છાવાળા એવા માણસો વહાણમાં બેસશે તો છિદ્રદ્વારા પાણી ભરાવાથી તે વહાણ પોતે ડુબી જઈ અંદર બેસનારને ડુબાડે છે. તેમજ ભવસમુદ્રને તરવાની જેને ઇચ્છા હોય તેણે ઉપરના દુર્ગુણોને અંગીકાર કરેલા ગુરૂઓને સેવવા નહિ. છતાં સેવે છે તો તેવા કુગુરૂ અને પોતે ભવસમુદ્રમાં બુડવાને માટે શક્તિમાન થાય છે અર્થાત્ બુડે છે અને સંસારને વિષે પરિભ્રમણ કરે છે. પાંચ પ્રકારના કુશીલો पंचकुशीलादि सह आलापादि-वर्जनं पंच एसु महापावे, जो न विवज्ज गोयमा, संलावादी हि कुसीलादि, भमे हि सो सुमति जहा ॥१॥ इति महानिशीथ सूत्रे M૧૧૦) ૧૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy