SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તિલાંજલી આપીએ, તો પછી ગુરૂ આજ્ઞાના આરાધક થતાં આપણને વિલંબ થવાનો નથી, એમ સમજી ગુરૂ ભક્તિ કરી આત્મોન્નતિ કરવી તે સુજ્ઞ જીવોનાં લક્ષણો છે. સાધુનાં લક્ષણો સાધુ શબ્દોના અર્થો અનેક થાય છે.સાધુ એટલે શાહુકાર,સજ્જન, સારો, બાવો, અતીત, મહારાજ, જોષી સંન્યાસી, ભિક્ષુ, જૈન સાધુ વિગેરે થાય છે. આ ઉપરોક્ત શબ્દોનો અર્થ અઢારે વર્ણવાળા પોતપોતાની માન્યતા પ્રમાણે ગણી સાધુગુણ વિનાના હોયતેને પણ સાધુ માને છે. જેઓમાં શુદ્ધ સાધુપણું નથી ને જેઓ નામ ધારી છે તોઓમાંથી કેટલાયેકના લક્ષણો શાસ્ત્રકાર મહારાજાએ નીચે પ્રમાણે બતાવેલા છે કે તેઓ (૧) ઉંચે સાદે અધ્યયન કરે છે, (૨)રાજ કથા દેશ કથા,સ્ત્રી કથા, ભક્તકથાદિક કરે છે, (૩) સ્ત્રીયોનાસાથે આલાપસંલાપ વાર્તા આદિ કરે છે, (૪) સ્ત્રીયોના નાના નાના બાળ બચ્ચાંનેરમાડે છે, (૫) સંસારમાં મોટો માણસ અગર રાજા હોય તેને નમસ્કાર કરે છે, (૬) તેઓ દાન આપે છે, તેથીવધારી વધારી તેની ખોટી સ્તુતિ કરે છે, (૭) રાજાદિકના આદેશ આજ્ઞાને અંગીકાર કરે છે, (૮) વારંવાર દિશાદિક સ્ત્રીયાદિક, મનુષ્ય,પશુ,પક્ષી તથાદુનિયાના પદાર્થોનેજોયા કરે છે. (૯) પંડિતપણાનો લેશ કાંઇક હોય છે (૧૦) ઔષધ, નિમિત્તાદિક વગેરેને કથન કરનાર હોય છે, (૧૧) ગાડિ કાદિના પ્રયોગોને કરનાર હોય છે. (૧૨) અને મંત્ર જંત્ર, તંત્ર, કામણ, વશીકરણ વિગેરેનો ક્ષણે ક્ષણે ઉપયોગ કરનાર હોય છે. આ બાર ગુણો ભિક્ષુની અંદર કહેલ છે. આવા ગુણોવાળો ભિક્ષુક સાધુ નિશ્ચય પત્થરની નાવ સમાન થઇ સ્વપરને બુડાડવા વાળો હોય છે. Jain Education International ૧૦૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy