SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 1 ગુરૂ અપલાપી ગોપાળનીક્યા છે એકદા પ્રસ્તાવે કોઈકગોપાળ સરોવરના તીરે જઇને બેઠો તે વખતે એક બગલો તે સરોવરમાંથી એક માછલાને પકડી વારંવાર ઉછાળી ઉછાલી પોતાની ચાંચમાં પાછો તે માછલાને પકડવા લાગ્યો. તે દેખી પોતે પણ લાકડીને ઉછાળી ઉછાળી દાંતથીપકડવા શીખ્યો.આવી રીતે અનુક્રમે અભ્યાસ પડી જવાથી તે દાંત વડે કરી ભાલાને પણ પકડવા શીખ્યો. અને અનુક્રમે તે રાજાને મલ્યો રાજાએ પણ તેની કલા દેખીને સર્વે કળાવાળાઓ હતા તેને વિષે મુખ્ય શિરોમણિ કર્યા એકદા પ્રસ્તાવે કોઈ કલાવાળો વાદી તે રાજાની સભામાં આવ્યો તેણે ગોપાળની સાથે કળાનો વાદ કરવાથી તે હાર્યો. તેથી વૈદેશિક ગોપાળને પુછયું કે તારો કળા ગુરૂ કોણ છે? અને તું કોના પાસે કળા ભણ્યો છે? તે વખતે રાજા પાસે તે રાજમાન્ય ગોપાળે વિચાર કર્યો કે – “જો બગલાનું નામ લઈશ તો મારી લાજ જશે તેથી તેનું નામ ઓળવી, તે બોલ્યો કે મેં મારી મેળે જ આ કલા શીખેલી છે. તેથી વૈદેશિક વિચાર કર્યા કે ગુરૂ વિનાની શીખેલી કળા ચાલી શકે નહિ, વળી ગુરૂનો અપલાપ કરવાથી આ જરૂર હારી જશે. એવો વિચાર કરી કહ્યું કે ફરીથી તારીકળા બતાવ તેથી તે કળા બતાવવા જતાં ભાલ મુખમાં પડવાથી મરણ પામ્યો.તે માટે લગાર માત્ર પણ ગુરૂ મહારાજનો અપલાપ કરવો નહિ. છતાં પણ જે ગુરૂને ઓળવે છે, તેનું કલ્યાણ થતું નથી અને નિસ્ડવો ગણાય છે. CT ગુરૂ તથા મંત્રત્યાગે દુર્ગતિ ). गुरुत्यागे भवेद् दुःखी, मंत्रत्यागे दुर्गतिः । गुरुमंत्रपरित्यागी, सिद्धोपि नरकं व्रजेत् ॥१॥ ભાવાર્થ : ગુરૂનો ત્યાગ કરનાર દુઃખી થાય છે અને મંત્રાના ત્યાગ M૧૦૦) ૧૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy