SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સમયે પૂર્ણિમાના ચંદ્રમાને સંક્રાત થયેલો દેખી, શીયાલીયાઓ તેકુશોદર સિંહને વિનંતિ કરે છે કે હે નાથ ! હાલમાં આકાશનું ઉદર ફુટી ગયું છે તેથી કૂવાને વિષે પડેલો રાંકડો બીચારો ચંદ્રમાં ભયથી વારંવાર કંપે છે. તેવું સાંભળી કૃશોદર સિંહે કહ્યું કે મને દેખાડો,તેચંદ્ર કયા છે ! ક્યાકૂવાને વિષે તે પડેલો છે? જલ્દી તેને કૂવાથી હું બહાર કાઢે. એમ કહેવાથી આગળ શીયાલીયા ચાલ્યા. ને પાછળ સિંહ ચાલ્યો. એવી રીતે તેઓસર્વેકૂવાને કાંઠે આવ્યા ને તેઓએ ચંદ્રમાને દેખાડયો Hદેખી સિંહ વિચાર કરે છે કે અહો ! આ બધા મૂર્ખાઓ છે, કારણ કે પાણીને વિષે સંક્રાંત થયેલ ચંદ્રમાના બિબને આ સર્વે બુડતો ચંદ્રકહે છે ત્યારબાદ સિંહ તે બધાને કહે છે કે તમારા તમામમાંથી ફક્ત એક જ જણ મારું પુંછડું પકડી કુવામાં ઉતરી પાણી હિલોળી નાખવાથી ચંદ્રમાં બહાર નીકળશે.આવી રીતે સિંહે કહેવાથી તેમાંથી એક જણાએ તેમ કરવાથી તથાકૂવામાં ચંદ્રમાને નહિ દેખવાથીતેમજ આકાશમાં ચંદ્રમાને દેખવાથી કહેવા લાગ્યો કે અહો ! અમારા સ્વામિની બુદ્ધિથી કૂવામાંથી ચંદ્રમાનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ સિંહે પણ પોતાના બળથી પુંછડે લાગેલા તે શીયાળને કૂવાથી બહાર કાઢયો પછી સર્વે પોતપોતાને સ્થાનકે ગયા. વળી એકદા તેજ પ્રમાણે કૂવામાં ચંદ્રમાને દેખવાથી શીયાલિયો ચિંતવના કરે છે કે સ્વામીને વિજ્ઞપ્તિ કરવાનું શું કામ છે? અમો જ ચંદ્રમાને બહાર કાઢશું. એમ જાણી તેનામાંથી એકે પુંછડું લાંબુ કર્યું અને બીજાએ તેનું પુછડું પકડી જેવો કુવામાં પેસે છે, તેવામાં તેનો ભાર સહન નહિ કરી શકવાથી લાંબુ કરેલું પુંછડું છે જેનું તે તથા તેને પકડીને કુવામાં ઉતરનાર બંને કૂવામાં પડીને મરણ પામ્યા. એવી રીતે સુગુરૂ કુગુરૂ સિંહ શીયાળની પેઠે ભવરૂપીકૂવા થકી તારનારા અને ભવરૂપીકૂવામાં બૂડાડનારા છે. ૧૦૬ * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy