SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગુરૂસેવા વિષયે સેલક શિષ્ય પંથક ક્યા સેલકપુરને વિષે સેલક રાજા હતો. તેને થાવસ્યા આચાર્યના શિષ્ય શુકાચાર્યે બોધ કરવાથી પાંચસો મંત્રીઓ સાથે તેણે દીક્ષા લીધી, તેમણે ૧૧ અંગોનું પઠન કર્યું.અનુક્રમે સૂરિ થયા,તથા પંથક પ્રમુખ પાંચસો શિષ્યો સાથે વિહાર કરે છે. અન્યદા પ્રસ્તાવે નિરન્તર લખો આહાર કરવાથી તેના શરીરમાં રોગો ઉત્પન્ન થયા, તે કારણથી તેના પુત્ર મુંડ રાજાએ તે સેલકાચાર્યને બોલાવી પરિવાર સહિત પોતા નગરમાં રાખ્યા. ત્યારબાદરાજાએ પોતાના પિતા મુની શરીરની રક્ષા કરવા નિમિત્તે સારા વૈદો પાસે તેનું ઔષધ કરાવવા માંડયું અને સ્નિગ્ધઆહારથી તેનું પોષણ કરવા લાગ્યો. અનુક્રમે નિરોગી થયા છતાં પણ તે સેલનાચાર્ય સ્નિગ્ધ આહારની લોલુપતાથી બહાર વિહાર કરતા નથી. તેથી તમામ તેના શિષ્યો પંથક મુનિને તેની વૈયાવચ્ચ કરવા રાખી બીજી જગ્યાએ વિહાર કરી ગયા. અન્યદા કારતક સુદી ચૌદશે પણ સરસ આહારને કરી સેલનાચાર્ય સૂઇ ગયા. પ્રતિક્રમણ વેલાએ પંથકે ખમાવવા માટે પોતાનું મસ્તક તેને પગે લગાડવાથી સૂરિ ક્રોધ કરી તેને કહે છે કે હે કુશિષ્ય ? તે મને શું કામ જગાડયો ? ત્યારે હાથ જોડીને પંથકે કહ્યું કે હે મહારાજ ! આજે ચોમાસી ખામણા કરવાને માટે મેં મારૂં મસ્તક આપને પગે અડકાવ્યું છે, તેથી મારો અપરાધ ક્ષમા કરો. તે સાંભળી વૈરાગ્ય પામેલા તે આચાર્ય વિચાર કરે છે કે રસને વિષે વૃદ્ધ થયેલા મને ધિક્કાર થાઓ ! એવી રીતે ચિંતવના કરી જેને સંવેગ રંગ ઉલ્લાસ ભાવને પામેલ છે. એવા તે આચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અને ઉગ્ર વિહારથી વિચરવા લાગ્યા. અનુક્રમે તેના તમામ સાધુઓ તેને મળ્યા અને ઘણા જીવોને બોધ કરી શત્રુંજય અણશન કરી પાંચસો સાધુઓ સાથે સિદ્ધિપદને વર્યા તે માટે કહ્યું છે કે M૧૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy