SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીચે સાર્થવાહની જોડે આવ્યા જો કે નિધાન કયાં છે, તેની તેને ખબર નથી, છતાં એકેક પ્રહાર અરસ પરસ કરવા વડે કરી નીચે પડ્યા તે જ વખતે હું સાધુ ત્યાં આવ્યો, મને દેખી કંઈક શુભ ભાવનાવાળા બને થયા, તે ત્યાંથી મરીને તમે બન્ને જણ થયેલા છો' એવી રીતે સાંભળી જાતિ સ્મરણ પામી હર્ષવાળા થઇ પોતાના કર્મને નિંદતી મુનિને નમસ્કારકરીને મુનિને કહે છે કે –“હે ભગવન્! આ પાપથી મુક્તિ કેવા પ્રકારે થાય.” મુનિએ કહ્યું કે આ નિધાન વડે કરીને જિન ભવન કરાવો.” બને ભાઈઓએ નિધાનને ગ્રહણ કર્યું, અને ઘરે આવી જિનમંદિર બંધાવી શ્રી આદિનાથજીના બિંબને સ્થાપન કરી, ત્રણ પાઠ વડે કરી, ત્રણ ખમાસમણ દઈ, ભગવંતને નમસ્કાર કરે છે. હવે સોમ અને સુર સાર્થવાહને ધર્મિષ્ઠ જાણી સોમની સ્ત્રી કુલટા હતી, તેણે વિશ્વના પ્રયોગોથી બન્નેને માર્યા તેથી આર્તધ્યાન વડે કરી બન્ને ચિત્ર પર્વત મયુરો થયા, ત્યાં પ્રતિમા કાઉસ્સગ ધ્યાનને વિષે રહેલા મુનિ મહારાજાને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થવાથી, કેકારવ કરતાં, નાચ કરતાં ગાયન ગાતાં, ખમાસમણ પૂર્વક સાધુને નમસ્કાર કરે છે સાધુએ પણ ધર્મોપદેશ આપ્યો તે બન્ને શ્રાવકનાં વ્રતો અંગીકાર કરી અણશણ કર્યું. નમસ્કાર પરાયણ બન્ને જણા મરીને વૈતાઢય પર્વતે ભદ્દિલપુર રત્નશેખર રાજાના છોકરા થયા. તેજ મુનિને ત્યાં દેખી જાતિસ્મરણ પામી, દીક્ષા લીધી. અનુક્રમે આચાર્ય પદપામી આઠ કર્મને ક્ષીણ કરી મોક્ષે ગયા એવી રીતે પ્રણામનું સ્વરૂપ જાણી ગુરૂને પ્રણામ કરવો. હવે જેઓ ગુરૂ ઉપદેશને માને છે. તે જ જીવો ધર્મકરણી કરવામાં ઉજમાળ થઈ શકે છે, ધર્મ કર્મ વિના જીવો અનાદિ કાળથી સંસારમાં રઝળેલા છે, અને હજી પણ ધર્મ કર્મ નહિ કરે તો ભવિષ્યમાં સંસાર ચક્રવાલને વિષે દીર્ઘકાળ સુધી પર્યટન કર્યાજ કરશે. ૧૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy