SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી? હજી પણ દુઃખના ડુંગરા દેનારા પાપના ઢગલાને અનુભવ્યા છતાં પણ તૃપ્ત થતા નથી ? તેવા સાધુનાં વચન સાંભળી સાધુના વચનથી વૈરનો ત્યાગ કરી પૂર્વભવનો વૃત્તાંત સાંભળવા બેઠા. સાધુ કહે છે કે – પૂર્વભવને વિષે વિજય અને ધન નામનાં બે ભાઈઓ વ્યાપારી હતા, તે પૈસા ઉપાર્જન કરવાને માટે રોહણાચળ પર્વતે ગયા, ખાણ ખોદવાથી રત્નનો ઢગલો મેળવ્યો તેનું પોટલું બાંધી બન્ને જણા જોવા જાય છે તેવામાં ભીલોએ ઘેર્યા. મરણ ભયથી ત્રાસ પામેલાબને તેની પોટલી છોડી દીધી – દાટી દીધી, તો પણ તેણે પકડી પલ્લિપતિના પાસે લાવી મુકયા તેણે તેમને કેદખાનામાં નાખ્યા, કંઈ પણ આહાર પાણી નહિ આપતાં, બહુ જ કદર્થના કરાતા, તથાદ્રવ્યની પ્રાર્થના કરાતા બને મરીને તે જ વનને વિષે ઉંદરો થયા. તારૂણ્ય અવસ્થા પામ્યા પછી ત્યાં જ દ્રવ્ય માટે બન્ને જણા લડતા મરણ પામી ધન નામનો તામ્રલિપિમાં જય નામનો સાર્થવાહ થયો અને વિજય તેજ વનમાં સિંહ થયો કદાચિત તે સાર્થવાહ લઈ ગમન કરતો આજ વનમાં તે વૃક્ષ નીચે આવી વિશ્રામો કરવા રહ્યો. તેવામાં તેજ સિંહ ધન લુબ્ધ હતો, તે તેને દેખી મારવા દોડયો, તેના પ્રાણ લીધા. ત્યાંથી મરી વનના પાસે ના ગામડામાં કુલપુરા થયો. ધનનો જીવ જે સિંહ છે, તેને પણ કોઇક દિવસે વાંદરાએ મારવાથી, તેજ વૃક્ષે વાંદરો થયો. એકદા કુલપુત્ર કુહાડો લઇ લાકડાં કાપવા જતાં તે વૃક્ષની નીચે આવ્યો, તેને ધનમાં લુબ્ધ થયેલા વાંદરાએ નખથી વિદારી નાંખ્યો કુલપુત્રે પણ કુહાડા વડે કરી તેને મારી નાખ્યો ત્યાંથી બન્ને મરીને હરણ ને વરાહ થયા. ધનને વિષે મૂછ પામવાથી વરાહ તેના ઉપર જ રહે છેએકદા હરણ ત્યાં આવેલ તેને વરાહે મારી નાખ્યો. સિંહે વરાહને માર્યો. બન્ને મરી કોલ્લાગ સશિવેશે દરિદ્ર બાહ્મણ પુત્રો થયા. એકદા પૈસા ઉપાર્જન કરવા માટે જતાં તેજ વૃક્ષની M૧૦૧ ૧૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy