SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બારણું ઉઘાડીપાણીનું બેડું લીધું, અને તુરત ઘડામાં હાથ નાખવાથી સર્પ તેને કરડ્યો અને તું મુછ પામી, એટલે આગળ ઉભેલા માણસોએ શેઠને ખબર આપી કે શેઠાણીને સર્પ કરડવાથી મૂછ પામેલ છે. તેણે પણ રાજાને જઈને કહ્યું, અને ઉપચાર કરવા માંડયા પરંતુ સર્પનું વિષ ઉતર્યું નહિ તેથી રાજા ચમત્કાર પામ્યો તે અવસરે બૌદ્ધે કહ્યું કે ઉપચાર કરો તો બાઈ જીવશે, મુછ આવેલી છે. તે ઉપચારથી વળી જશે. આવું કહેવાથી ઉપચાર કરવા માંડયા. આ અવસરે ખેડૂતનો છોકરો કોઇની દુકાનમાં નિદ્રા કરી ગયો હતો તે જયારે પ્રાતઃકાળને વિષે જાગૃત થયો ત્યારે તેને ચિંતા બહુ જ થવાથી તે શેઠને ત્યાં ગયો, અને મણીના પાણીનું પાન કરાવી તે બાઈનું વિષ દુર કર્યું, શેઠીયાએ જયજયકાર કરીને તમામને સારી રીતે દાન કર્યું રાજા પણ આશ્ચર્ય પામ્યો ગુણધરસુરિને બોલાવીરાજાએ વિશેષ માન આપી બહુ જ લક્ષ્મી આપવા માંડી. પરંતુ ત્યાગી હોવાથી નિષેધ કરવાથી સર્વ બોધ પામ્યા અને શ્રાવક ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામ્યા. OTગુરૂ પ્રણિપાત સુર અને સોમનું દષ્ટાંત રત્નપુરને વિષે કુરૂદત્તનામનો શ્રેષ્ટિ હતો. તેને સોમ અને સુર નામના બે પુત્રો સાથે જ ઉત્પન્ન થયેલા હતા. એકદા તે બન્ને બહુ દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે પરદેશ ગયા. ત્યાં એક અટવીમાં ક્ષમાના ભંડાર મુનિમહારાજને દેખ્યા તેને નમસ્કાર કરી બંને આગળ ચાલ્યા, રસ્તામાં વૃક્ષના કોટરમાંથી નીકળવાથી તથા ઉત્તમ પ્રકારના શુકનથી તથા રાફડો દેખવાથી આમાં નિધાન છે, તેમ નિશ્ચય કર્યો. બન્ને ભાઈને લોભ ઉત્પન્ન થયો ને નિશાન ગ્રહણ કરવા માટે પરસ્પર તલવારથી લડવા માંડયા. તે અવસરે જ્ઞાની સાધુએ તેમનો પૂર્વભવ જ્ઞાનથી જાણી ત્યાં આવી તેને કહ્યું કે-“અરે ! હજી પણ પૂર્વભવના વૈરની પરંપરાને છોડતા ૧૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy