SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તેમ કહી તેના પણ અલંકારો પાત્રામાં ભર્યા. ૩. તેઉકાય કુમાર આવે છે ભયથી તે પણ કથા કહે છે.કાંઇક અગ્નિહોત્ર કરનારના ઘરમાં અગ્નિ લાગવાથી લોકોએ પુછયું કે આ શું છે? તેથી તે કપાળે હાથ મુકી કહે છે કે રાત દિવસ જેને હું મધુ ધૃત વડે કરી તૃપ્ત કરું છું. તેણે જ માહરૂ ઘર બાળ્યું માટે મને શરણથી જ ભય થયો તેને પણ તું પંડિત છે ? કહી અલંકાર લઈ પાત્રામાં લઈ ચાલે છે. ૪. વાયુ કુમાર મળ્યો ને તે પણ ભયથી કથા કહે છે કે કોઈક યુવાન મહા પ્રાણવાયુથી જ જીવતો હતો તેને વૃદ્ધાવસ્થામાં વા આવવાથી લાકટીના ટેકે ચાલતા દેખી તેનો મિત્ર કોઈ પુછે છે કે આમ કેમ ? તેથી તે ઉત્તર આપે છે કે ગ્રીષ્મમાં જે સુખરૂપ લાગતો હતો તે પવને મારૂ શરીર ભાગી નાખ્યું તેથી જેનું શરણ કર્યું તેનાથી જ ભય થયો તું પંડિત છે. એમ કહી અલંકાર ગ્રહણ કરી પાત્ર ભરી આગળ ચાલ્યો. ૫. વનસ્પતિ કુમાર આવે છે, ભયથી તે પણ કથા કહે છે કોઈક વૃક્ષ ફાલેલકુલેલ છે તેમાં પક્ષિયે માળો કરિ ઇંડા મુકેલા છે. વૃક્ષના મુળમાંથી વેલડા ઉઠી તેના ઉપર સર્પ ચડી બચ્ચાઓને ખાધા કોઈ કહે છેકે જે વૃક્ષને વિષે પૂર્વે વસ્યા તેનું શરણ કરવાથી ભય થયો? તું પંડિત, અલંકાર લીધા,પાત્રામાં ભર્યા. ૬. ત્રસકાય કુમાર ભય પામી તેજ પ્રકારે કર્તાને કહે છે એક નગરને વિષે પરચક્ર ઘેરો ઘાલ્યાથી માતંગો જે બહાર રહેતા હતા તેઓ નગરમાં પ્રવેશ કરે છે હવે અંદર રહેલા લોકો તેને તિરસ્કાર કરી પેસવા દેતા નથી બહાર સૈન્યના માણસો ઉપદ્રવ કરે છે તેથી તે લોકો કહે છે કે અંદર પેસવા દેતા નથી બહારથી બીજા મારે છે માટે બીજી દિશાનું આલંબન કરો કારણ કે શરણથી ભય ઉત્પન્ન થયો આવું કહેવા છતાં આચાર્ય છોડતા નથી એટલે બીજી કથા કહે છે. કોઈ એક નગરીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy